SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ : ૨ : [ ૨૧ ] સંક્ષેપ માત્રથી ઉપર જણાવેલા ૨૧ ગુણે જ્યાં સુધી આપણામાં પૂર્ણ રીતે ખીલી નીકળે ત્યાં સુધી વારંવાર કાળજીથી તે ગુણોનું સેવન કર્યા કરવું જોઈએ. જેમ દુનિયામાં જીવે માની લીધેલી અનેક હાલી વસ્તુઓ માટે અહોનિશ-રાત્રિદિવસ ઉદ્યમ કરવામાં આવે છે તેથી તે વસ્તુ વહેલી યા મેડી પણ મળે છે તેવી રીતે કમર કસીને જે ઉપર જણાવેલા ધર્મ માટે ખાસ જરૂરના ગુણ મેળવવા પ્રયાસ કરવામાં આવે તો તે ઉપગી ગુણોની પ્રાપ્તિ થતાં આત્મા જલદી ધર્મ રતનને યોગ્ય થાય છે અને કરેલે પ્રયાસ નકામે જતો જ નથી. જેમ જેમ પ્રેમ સહિત જણાવેલા ગુણે ખાતર અધિક પ્રયત્ન કરવામાં આવે છે તેમ તેમ આપણે તે ગુણેનો લાભ વધારે જલદી મેળવી શકીએ છીએ. જે વસ્ત્રને ધેઈ સારી રીતે સાફ કરેલું હોય તો જ તેને રંગ યથાર્થ–સારી રીતે ચઢી શકે છે અને ભીંત વગેરેને પણ ઘઠારી–મઠારીને સારી રીતે આરીસા જેવી સાફ કરી હોય તો જ તેની ઉપર સારું ચિત્રામણ થઈ શકે છે, તેવી જ રીતે ઉપર જણાવેલા ઉત્તમ એકવીશ ગુણવડે ચિત્તરૂપી વસ્ત્રને પ્રથમ સાફ-નિર્મળ કરવું જોઈએ, અથવા હૃદય-ભૂમિને યથાર્થ શુદ્ધ કરી લેવી જોઈએ, તે જ તેમાં ધમ રંગ-રાગ સારે જામે છે, અથવા ઉત્તમ વ્રતરૂપી ચિત્રામણું તેમાં સારી રીતે ખીલી નીકળે છે અને લાંબા વખત સુધી ટકી પણ શકે છે, એમ સમજી આપણે સહુએ આ અતિ અગત્યની વાત ઉપર પૂરતું લક્ષ રાખી જેમ તે એકવીશ ગુણેની પ્રાપ્તિ, રક્ષા અને વૃદ્ધિ બને તેમ અધિકાધિક પ્રયત્ન પ્રેમ સહિત કરે ઉચિત છે. તેની પ્રાપ્તિથી જ આપણે
SR No.022876
Book TitleLekh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy