SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ : ૨ : [ ૧૭ ] નામનું મહાવત કહેવાય છે. દેવ, મનુષ્ય કે તિર્યંચ સંબંધી વિષયભેગને રાગથી કે દ્વેષથી સર્વથા ત્યાગ કરે, દુધર મન અને ઇદ્રિને વશ નહિં થઈ જતાં તેમને પોતાને કબજે રાખવા તેને શાસ્ત્રકાર ચોથું બ્રહ્મચર્ય મહાવ્રત કહે છે. ધન, ધાન્ય પ્રમુખ નવ પ્રકારના બાહ્ય પરિગ્રહને અને મિથ્યાત્વ, કષાય અને હાસ્ય પ્રમુખ ચૌદ પ્રકારના અત્યંતર પરિગ્રહને રાગ-દ્વેષ રહિતપણે સર્વથા ત્યાગ કરે તે પાંચમું અકિચનતા મહાવ્રત કહેવાય છે. એવી રીતે વર્ણવેલા પાંચ મહાવ્રતરૂપ સાધુ-ધર્મનું યથાર્થ આરાધના કરવાથી આત્મા જલદી એક્ષપદને અધિકારી થઈ શકે છે, તેથી આપણે પણ સારા ભાગ્યે સાધુ-ધર્મને લાયક થઈએ એમ સદા ય ઈચ્છવું અને તેટલા માટે પ્રથમ યથાશક્તિ ગૃહસ્થ ધર્મનું સેવન કરવું. ઉપર જણાવેલાં પાંચ મહાવ્રતો સંપૂર્ણ રીતે પાળવા અસમર્થ હોય તેને માટે શાસ્ત્રમાં તે અહિંસાદિક વ્રતને યથાશક્તિ થોડા પ્રમાણમાં પણ પાળવા કહેલું છે. શ્રાવક ધર્મ એવી રીતે ઉપરના પાંચ મહાવ્રતો અ૫ પ્રમાણમાં જ પાળવામાં આવતાં તે અહિંસાદિક પાંચ અણુવ્રત કહેવાય છે. તે પાંચ અણુવ્રત ઉપરાંત અહિંસાદિક વ્રતની રક્ષા અને પુષ્ટિ નિમિત્તે બીજા ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાત્રત પણ કહેલાં છે. એમ સર્વે મળીને શ્રાવકના બાર વ્રત કહેવાય છે. જે ગૃહસ્થગ્ય તે વ્રત અંગીકાર કરવાની ઈચ્છા હોય
SR No.022876
Book TitleLekh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy