SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ : ૨ : [ ૨૯૧ ] કે- પરહિત કરવા સાવચેત રહેવું. આ અમૂલ્ય વખત નકામાં ટાયલાં કરવામાં કે મદ, વિષય, કષાય, નિદ્રા ને વિકથામાં વેડફી નહીં દેતાં અભિનવ ગુણની પ્રાપ્તિ થાય તેમ જ તેની રક્ષા અને પુષ્ટિ થાય એવાં સદાચરણમાં જ તેને ઉપ ગ કરે. જેથી ઉત્તરોત્તર આપણી આમેન્નતિ થવા પામે. પ્રમાદ પંચક–જેથી સ્વભાન ભૂલાય, કર્તવ્યથી ચકાય ને આપણી પાયમાલી થાય તેવા સ્વછંદી આચરણને જ્ઞાનીજનો પ્રમાદ કહે છે. મદ, વિષય, કષાય, નિદ્રા ને વિકથા એ મુખ્ય પાંચ પ્રમાદ કહ્યા છે, તેમજ અજ્ઞાન, મિથ્યાત્વ ને અવિરતિ (સાવ મોકળી વૃત્તિ) મળીને આઠ પ્રમાદ પણ કહેલા છે. તેમાં માદક પદાર્થનું સેવન કરવાથી થતી ઉન્મત્તતા– ( ઉન્માદ)ને મદ ( Intoxication ) કહે છે. પાંચે ઈન્દ્રિચેના વિષયભૂત શબ્દ, રૂપ, રસ, ગંધ ને સ્પર્શમાં લંપટ થવું તે વિષય પ્રમાદ કહેવાય છે, ક્રોધ, માન, માયા ને લોભને વશ રહેવું તે કષાય પ્રમાદ, વગર જરૂરે નિદ્રા-તંદ્રાને વશ થઈ આળસ કરવું તે નિદ્રા પ્રમાદ અને સ્વપરહિતબાધક નકામી કુથલી કરવી તે વિદ્યા પ્રમાદ કહ્યો છે. તે ઉપરાન્ત જ્ઞાન, દર્શન ને ચારિત્રને બાધ કરનારા અજ્ઞાન, મિથ્યાત્વ ને અવિરતિ મળી અષ્ટવિધ પ્રમાદ આમાથી જનેએ અવશ્ય ટાળવા ગ્ય છે.” [ જે. ધ. પ્ર. પુ. ૪૫, પૃ. ૧૦૦ ]
SR No.022876
Book TitleLekh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy