SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ : ૨ : [ ર૬૭ ] ગરબડભરેલી ભાષામાં બોલવું નહિ અને મર્મભેદક વચને બીલકુલ બોલવા નહીં. પળાય તેટલું, પિતાના જાણવામાં હોય તેથી ઓછું, જરૂર પૂરતું અને તે પણ લાભ હોય તો જ બોલવું. કહેવત છે કે “ભાવે એટલું ખાવું નહીં અને આવડે એટલું બોલવું નહીં. ” બેલેલ બોલ પાછો ગળાતો નથી. બંદુક કે તપ જેવાનો માર કદી રૂઝાય છે, પણ શબ્દનો ઘા મરણાંતે પણ રૂઝાવે મુશ્કેલ છે, માટે જેટલું બેલે તેટલું તોળી તોળીને પરને કડવું ન લાગે અને ગુણ થાય તેવું બેલે. તે સમય ન હોય તો મન રહેવું એ વધારે સારું છે. બે કાને સાંભળીને, બે આંખે જોઈને, મગજમાં વિચારીને, એ પાંચવડે નિર્ણય થયા પછી લાભ થાય તેમ હોય તો એક જીભવડે થોડું જ બોલવું. જીભ બત્રીશ દાંતના કિલ્લા વચ્ચે અને બીડેલ મુખમાં હોવાનું એ જ કારણ છે. એ જ જીભ વડે જગત આખું મિત્ર થાય છે, એ જ જીભ વડે જગત આખું શત્રુ થાય છે. જીભમાં વશીકરણ છે અને જીભમાં ઝેર છે. જગતમાં લેહીની નદીઓ ચાલે તેવા મહાન યુદ્ધો અનંતી વખત થયા છે, તેમાં ઘણે ભાગે જીભલડીની કડવાશ જ મુખ્ય કારણ છે, માટે ખાવામાં અને બોલવામાં જીભને તાબે થવું નહીં, પણ આપણે તેને જ તાબે કરી લેવી. મહાપુરુષોના મુખમાંથી અમૃતના ઝરણાઓ કરે છે, ત્યારે મિથ્યાભિમાની મૂર્ણ જીવોના મુખમાંથી હળાહળ ઝેર જેવાં વચનનો પ્રવાહ નીકળે છે. વચનવડે જાતિ, કુળ અને ધર્મની પરીક્ષા થાય છે. જેની હૃદયની તીજોરીમાં જેવું ભર્યું હોય તેવું જ નીકળે છે. કોયલની વાણીમાં મધુરતા અને કાગડાની વાણીમાં કઠેરતા, જેમાં જે હોય તે જ નીકળે છે; માટે શ્રાવકે શ્રાવકધર્મને શોભા આપનારાં વચને બેલવા
SR No.022876
Book TitleLekh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy