SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ [ રર૬ ] શ્રી કરવિજયજી - ૧૦. સિંહવૃત્તિને ધરવાથી દુઃખનો અત્યંત અભાવ (સર્વથા વિનાશ) કરી શકાય છે, પણ ધાનવૃત્તિ ધારણ કરવાથી તો દુઃખમાં ઊલટો વધારે જ થતું જાય છે. ૧૧. સુખદુઃખમાં સમભાવ-અનાકુળતા તે સિહવૃત્તિ ને વિષમભાવ-આકુળવ્યાકુળતા તે ધાનવૃત્તિ. દુઃખને અદીનપણે-સમભાવે ભગવતાં મિત્રની પેઠે તે ઉપકારક થાય છે. ૧૨. બહારનાં કલ્પિત ને ક્ષણિક સુખમાં લેભાઈ નહીં જતાં, સાચું અવિનાશી સંપૂર્ણ મોક્ષસુખ મેળવવું જોઈએ. તેટલે આત્મભોગ આપવો–સંયમ સેવ એ જ સિહવૃત્તિ છે. ૧૩. પરિણામદશી મહાનુભાવે અક્ષય મોક્ષસુખને માટે મથન કરતાં પ્રમાદ રહિત વતે છે, પણ ક્ષણિક સુખદુઃખમાં મુંઝાઈ જતા નથી. ૧૪. જીવમાત્રની જોડે એવું વર્તન રાખવું કે જેથી કોઈ પણ જીવને આપણા નિમિત્ત લેશમાત્ર દુઃખ ન થાય. ધર્મ શાસ્ત્રોનું સાર-રહસ્ય એ છે કે આપણે જાતે બને તેટલું સહન કરી લેવું, પણ બીજા કેઈને પ્રતિકૂળતા-પીડા ઉપજાવવી નહીં. સહુને આપણું આત્મા સમાન લેખવવા. ૧૫. સુસાધુ–સંત કે વડીલ-મોટેરાઓની સેવા કે આજ્ઞાએને કોઈ પણ તર્ક કે દલીલમાં ઉતર્યા વગર એકદમ પ્રેમથી અનુસરવું. જ્યારે કંઈ શંકા ઉત્પન્ન થાય ત્યારે મેહના વમળમાં નહીં પડતાં બતાવેલું કામ પૂરું કરીને, વિનયપૂર્વક સમજવાની બુદ્ધિ રાખી શંકાનું સમાધાન કરી લેવું. તેમની પ્રસન્નતા મેળવવાને એ ઉત્તમ ઈલાજ છે.
SR No.022876
Book TitleLekh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy