SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૮૮ ] શ્રી કરવિજયજી અવિરતિ-સ્વછંદાચરણ, મિથ્યાત્વ-વિપરીત શ્રદ્ધા, મનવચન-કાયાની મોકળી વૃત્તિ અને કોધાદિક કષાય કે જેના વડે જીવ વારંવાર કર્મ બાંધ્યા કરે છે તે આશ્રવ કહેવાય છે. આ રીતે થતાં કર્મ-સંચયથી જીવને ભવભ્રમણ થયા કરે છે. સભ્ય દર્શન, જ્ઞાન અને ચારિત્રરૂપ રત્નત્રયીનું સેવન કરવાથી ઉપરોક્ત કર્મ આવતા અટકે છે; તેથી સુજ્ઞ જનેએ મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને ગાદિ દેષનું સત્વર નિવારણ કરી આત્માને કર્મના ભારથી હલકો કર જોઈએ. આત્મનિગ્રહ કરવારૂપ સંયમવડે સહેજે કર્મનિરોધ થઈ શકે છે. મન અને ઇંદ્રિયરૂપ ઉદ્ધત ઘેડાને જ્ઞાનરૂપ લગામવડે બરાબર કબજે રાખવા, ક્ષમા–સમતાદિકના અભ્યાસવર્ડ ક્રોધાદિ કષાયને દૂર કરવા, સમ્યકત્વ-શ્રદ્ધાવડે મિથ્યાત્વને વમી દેવું, સમ્યગ જ્ઞાનવડે અજ્ઞાનતિમિરને નષ્ટ કરવું અને ઉત્તમ ત્રત-નિયમવડે હિંસાદિક આશ્રવના દ્વાર બંધ કરવાં, પવિત્ર વિચાર, વાણું અને આચારવડે મન-વચન અને કાયાની મલિનતા દૂર કરવી. જે જીવને જન્મ, જરા અને મરણના અનંતા દુઃખથી બચાવવાની ખરેખરી ઈચ્છા જ હોય તે ખરી તક પામીને પોતાની જ મેળે સ્વતંત્રપણે ગમે તેટલાં કષ્ટ સમભાવે સહન કરી પવિત્ર રત્નત્રયીનું આરાધન કરી લેવું. પુંડરીક રાજાના બંધુ કંડરીકે પ્રથમ પિતે વૈરાગ્યભાવથી આદરેલાં વ્રત નિયમ સુખશીલતા-શિથિલતાથી તજી દઈ બંધુ પાસેથી રાજ્ય લહી ભેગવિલાસ કરે પસંદ કર્યો, તેથી તે ચીકણું કર્મ બાંધી થોડા દિવસમાં જ મરીને સાતમી નરકે ગયે, જ્યારે પુંડરીક રાજા દીક્ષા લઈ, તેને સમ્યમ્ રીતે આરાધી અનુત્તર વિમાનનું સુખ પામ્યા.
SR No.022876
Book TitleLekh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy