SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૮ ] શ્રી કપૂરવિજયજી સુરગણ નર કાડી, જે કરે જાસ સેવા, મરણ ભય ન છૂટયા, તે સુરે દ્રાદિ દેવા; જગત જન હુરતા, એમ જાણી અનાથી, વ્રત ગ્રહિય વિછૂટશે, જેહ સંસારમાંથી. ૧. વ્હાલા મિત્રા અને સ્વજા પાસે બેઠા હાય તેમ છતાં કાળ જીવને ઝડપી જાય છે, તે વખતે તેને કોઇ રોકી શકતુ નથી. પરમપુરુષોને પણ કાળ સ’હરી જાય છે, તે। પછી બીજા સાધારણ જીવાનુ તા કહેવું જ શું ? કાળ તેા અવિશ્રાંતપણે પેાતાનું કામ કરતા જ રહે છે. માળ ગેાપાળ કોઇને પણ તે કાળ છેાડતા નથી-છેાડવાના પણ નથી. જેની સેવામાં કરાડા દેવા અને માનવા હાજર રહ્યા કરે છે એવા ઇંદ્રો અને ચક્રવર્તી જેવા પણ કાળના ઝપાટામાંથી મચી શકતા નથી-મૈાતના ભયથી મુક્ત થઈ શકતા નથી. જેમ નાહર કરીને પકડી જાય છે તેમ કાળ પણ જીવને ઉપાડી જાય છે, તે કેાઇને છોડતા નથી. એ રીતે આખી દુનિયાને કાળવશે જાણી, મનમાં વૈરાગ્ય જગાડી, અહિંસાદિક ઉત્તમ વ્રત આદરી, આ દુ:ખદાયક સંસારની ઉપાધિમાંથી અનાથી મુનિ જેમ છૂટી ગયા તેમ ભવસાગરના ફેરા ટાળવા માટે ચેતતા રહા શ્રેણિકરાજા અને અનાથી મુનિના સવાદ પ્રસિદ્ધ છે. જન્મ, જરા અને મરણુનાં દુ:ખથી લેાકેા ત્રાસે છે-બીહે છે ખરા, પણ તેટલાં માત્રથી તથાપ્રકારના પુરુષાર્થ ફારવ્યા વગર તેવાં અનંત દુ:ખમાંથી કેાઇ છૂટી શકતા નથી. જો એ દુ:ખથી છૂટવું જ હાય તેા જેએ પરમ પુરુષાર્થ ફારવી તે બધાં દુ:ખામાંથી છૂટી ગયા છે એવા અરિહંત, સિદ્ધ અને ܢ
SR No.022876
Book TitleLekh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy