SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૪૨ ] શ્રી કરવિજ્યજી ૧૨. યશ-કીર્તિ નિર્મળ યશ-કીર્તિ પ્રાપ્ત કરવા હિતોપદેશ. માલિની વૃત્ત. દિશ દિશિ પસરતી, ચંદ્રમા જતિ જેસી, શ્રવણ સુણત લાગે, જાણ મીઠી સુધા સી; નિશદિન જન ગાયે, રામ રાજિદ્ર જેવી, ઈણ કલિ બહુ પુવે, પામીએ કીતિ એવી. ૨૯ - પૂર્ણિમાના ચંદ્રની શીતળ ચાંદની જેવી નિર્મળ યશ-કીર્તિ દશ દિશામાં પ્રસરેલી શ્રવણે સાંભળતાં અમૃત જેવી મીઠી લાગે છે. જેવી રાજા રામચંદ્રની યશકીર્તિને લોકો રાતદિવસ ગાયા કરે છે તેવી નિર્મળ યશકીતિ આ કલિકાળમાં બહુ પુન્યવેગે કેઈક વિરલા જ પ્રાપ્ત કરી શકે છે. રાજા રામચંદ્રની પેઠે કલંક રહિત ન્યાય, નીતિ અને પ્રમાણિકપણું આદરી સ્વકર્તવ્યનિષ્ઠ રહેનારા રાજાઓ, પ્રધાને, શેઠ-શાહુકારે, સંતસાધુજને તેમ જ અન્ય અધિકારી લોકો ખરેખર નિર્મળ યશકીર્તિને સંપાદન કરી શકે છે, એટલું જ નહિ પણ સ્વાર્થત્યાગી પરમાર્થ દષ્ટિ જ આગળ ઉપર પણ સ્વર્ગ અને મેક્ષનાં સુખ મેળવી શકે છે. એવા અનેક દષ્ટાન્ત શાસ્ત્રોમાં મેજુદ છે. કેવળ યશ-કીર્તિને માટે જ લોકરંજન કરવાની બુદ્ધિવડે ભલાં ધર્મનાં કામ કરવામાં મજા નથી. એવી બાહ્યદષ્ટિવડે કરાતી ધર્મકરણનું ફળ અપમાત્ર છે. ખરી પરમાર્થ દષ્ટિચગે જે કરણ કરાય છે તેનું ફળ ઘણું મહત્ત્વભર્યું મળે છે. ખેડૂત લકે ધાન્ય પેદા કરવા માટે કાળજીથી યંગ્ય અવસરે
SR No.022876
Book TitleLekh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy