SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ : ૨ : [ ૧૩૧ ] ધમીજનોને તો વિશ્વાસ કરે છે. તેવા શ્રદ્ધાળુ જનોને છેતરવા, ભ્રષ્ટ કરવા, તેમને ઊંધે રસ્તે દોરવા અને તેમનું અહિત કરવું એ ધર્મના બહાને ચેપી ઠગાઈ કે વિશ્વાસઘાત જ કહેવાય. એવું પાપી અને હીચકારું કાર્ય કદાપિ કરવું નહીં. તેમ જ જે સદા ય છળ તાકીને જ રહેતા હોય અને તેવી તક મળતાં જ છેતરપિંડી કરવા ચૂકતા ન હોય એવા બન્ને પ્રકારના (બાહ્ય અને અત્યંતર ) શત્રુઓનો શાણા માણસોએ કદાપિ વિશ્વાસ કરે નહિ. મન, વચન કે કાયાથી અહિત જ કરનાર, કરાવનાર તથા અનુમોદનાર બાહ્ય શત્રુ લેખાય છે, જ્યારે કામ, ક્રોધ, મોહ, મદ, લોભ અને હર્ષાદિક આંતર શત્રુ કહેવાય છે. તેમનો વિશ્વાસ કદાપિ કરવે નહિ અર્થાત્ તેમનાથી સદા ય ચેતતા-જાગૃત-સાવધાન જ રહેવું. તેમાં કદાપિ ગફલત કરવી નહિ. વળી “બહસ્પતિરવિશ્વાસ –” બહપતિ કહે છે કે કોઈને વિશ્વાસ કરવો નહિ. તેનો આશય એવો લાગે છે કે કોઇના વિશ્વાસ ઉપર થોભી ન રહેવું. સ્વાશ્રયી બનવું. પરની આશા રાખી બેસી રહેવું નહિં. બને તેટલું બધું કામ જાતમહેનતથી જ કરવું. દરેક કાર્યમાં બને તેટલી જાતિદેખરેખ રાખવી, જેથી કામ બગડે નહિ પણ ધાર્યા પ્રમાણે બને અને બીજા ઉપર વિશ્વાસ રાખી રહેવાથી કોઈ વખત પસ્તાવાનો વખત આવે છે તે આવે નહિ. ૧ વળી સતત અભ્યાસથી કાર્યદક્ષતા આવે છે, આત્મશ્રદ્ધા દઢ થાય છે અને વિદ્યાસ વધતો જાય છે. મેજશખમાં પડી જે જોખમદાર કામ બીજાને સુપ્રત કરી દેવામાં આવે છે તે વખત જતાં બહુ નુકશાનીમાં ઉતરી જવું પડે છે અને લાંબે વખત સોસવું ૧ આ કપના બરાબર નથી. નીતિશાસ્ત્રના સાર તરીકે બૃહસ્પતિ નામના પંડિતે તે કોઈનો પણ વિશ્વાસ ન કરવાનું જ કહ્યું છે.
SR No.022876
Book TitleLekh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy