SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ : ૨ : [ ૧૦૧ ] વિષયતૃષ્ણાથી વિકળ બનેલા કીચકે સતી દ્રોપદીનું શિયલ ભંગ કરવા માટે પ્રયત્ન કર્યો હતો અને દશમુખ-રાવણે સતી સીતાજીનું અપહરણ કર્યું હતું, તેમ જ વળી રહનેમિએ રાજીમતી સંગાતે રતિ-ક્રીડા કરવા મન કર્યું હતું અને તે માટે ભેગપ્રાર્થના પણ કરી હતી, પરંતુ શીલ-સંતોષના પ્રભાવથી સતી દ્રૌપદીનાં ચીર પૂરાયાં ( નવનવાં વસ્ત્ર તેણીના દેહ ઉપર ઉત્પન્ન થવા પામ્યાં), એકાન્ત સ્થળ છતાં રાવણ સતી સીતાના શીલનો તાપ સહન કરી નહિ શકવાથી છેટો જ રહ્યા અને સતી રાજીમતીના સાધભર્યા વચનથી રહનેમિ શીધ્ર ઠેકાણે આવી, સ્વદેષની આલોચના-નિંદા-ગોં કરી અવિચળ પદ પામ્યા. જે મોહાંધ બની, ઇન્દ્રિયવશ થઈ વિષયવિકળતાથી અધર્મને માર્ગે ચાલે છે તેમને તેમનાં અધર્મ–કાર્યને લઈને અનાર્યપ્રાય જ સમજવા. ઈન્દ્રિયોના વિષયમાં લુબ્ધ બની ક્ષણિક અને કલ્પિત સુખની ખાતર જીવ નિત્ય-સ્વાભાવિક સુખને ગુમાવી દે છે. વિષયસુખમાં શક્તિનો ક્ષય કરી નાંખનાર સહજ સ્વાભાવિક સુખ મેળવવા સ્વવીર્યનો ક્યાંથી ખર્ચ કરી શકે ? ઈન્દ્રિયોને વશ નહિ થતાં તેમને જ સ્વવશ કરવા પ્રયત્ન કરી લેવાય તો સ્વ૯૫ કાળમાં મહાન લાભ મેળવી શકાય. ફક્ત દિશા બદલવાની જ પ્રથમ જરૂર છે. સ્વેચ્છા મુજબ ગમે તેવા દુઃખદાયક વિષયમાં દેડી જતી ઇન્દ્રિયને દમી તેમને સુખદાયક સાચા માર્ગે વાળવી જોઈએ. ચક્ષુવડે વીતરાગ દેવની અને સંતજનની શાંત મુદ્રા નીરખી નિજ આત્મવિચારણા કરવી, શ્રેત્ર-કાનવડે સદ્દઉપદેશ અમૃતનું પાન કરવું, જીભ વડે
SR No.022876
Book TitleLekh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy