SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૮૮ ] શ્રી કરવિજ્યજી ર૬, દયા-અહિંસા ધર્મ દયા ધર્મનું સેવન કરવા સદુપદેશ. સુકૃત ક૫વેલી, લચ્છી વિદ્યા સહેલી, વિરતિ રમણી કેલી, શાન્તિ રાજા મહેલી, સકળ ગુણ ભરેલી, જે દયા જીવકેરી, નિજ હદય ધરી તે, સધિયે મુકિત શેરી. પ૩ નિજ શરણ પારે, નથી જેણ રાખે, પર્દશમ જિને તે, એ દયાધમ દાખ્યો; તિરું હૃદય ધરીને, જે દયાધમ કીજે, ભવજળધિ તરીજે, દુઃખ દૂર કરી જે. ૫૪ પુન્ય ફળને પેદા કરવા ક૯૫વેલી તુલ્ય, લક્ષ્મી અને વિદ્યાની સાહેલી ( બહેનપણું ), ચારિત્રમાં રમણ કરવાના સાધનરૂપ અને શાન્ત રસરાજને રહેવા ઉત્તમ સાધનરૂપ સકળ ગુણભરી જીવદયા જે નિજ દિલમાં ધારીએ તે તેથી આગળ જતાં મોક્ષપદને પામી શકીએ. જેવી રીતે સેળમાં જિનેશ્વર શ્રી શાંતિનાથજીએ સીંચાણથી પરાભવ પામતા પારેવાને નિજ શરણે રાખી દયાધર્મને દાખવ્યું, તેમ સ્વ હદયમાં કરુણાભાવ રાખીને જે દયાધર્મનું સેવન કરવામાં આવે તે ભવસમુદ્રને તરી નિશે સર્વ દુઃખને દૂર કરી શકાય. જે વિષયકષાયાદિ પ્રમાદવશ થઈ સ્વપરપ્રાણની હાનિ રૂપ હિંસા કરે છે તેને અંત વગરના–અનંત જન્મમરણના ૧ સોળમા પ્રભુ શ્રી શાંતિનાથ.
SR No.022876
Book TitleLekh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy