SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ [ પર ] શ્રી કરવિજ્યજી ગ્રંથમાં સ્પષ્ટપણે આખી આલમના હિત માટે ભવ્ય પ્રાણીએને નીચે પ્રમાણે અમૃત વચનોથી ઉપદેશ આપે છે કે श्रूयतां धर्मसर्वस्वं, श्रुत्वा चैवावधार्यताम् । आत्मनः प्रतिकूलानि, परेषां न समाचरत् ।। જિજ્ઞાસુ-આપ એ આચાર્ય મહારાજે ફરમાવેલા લોકોને ભાવાર્થ કૃપા કરીને સ્પષ્ટ સમજાય તેમ કહેશો તો તેના ભાવાર્થ સાથે યાદ રાખવાને મારી જેવાને વધારે અનુકૂળ પડશે તેમ જ અન્ય જીવોને ઉપકારક થશે. સત્ય-ભાઈ જિજ્ઞાસુ! ઉપર ટાંકેલા કલાકમાં જગતના જીવના હિત માટે કહેલું તાત્પર્ય એ છે કે “હે ભવ્યામાઓ! તમે વિનયપૂર્વક જ્ઞાની ગુરુ પાસે ધર્મનું રહસ્ય સાવધાનપણે સાંભળે, અને તે સઘળું રહસ્ય શ્રવણ કરીને તમારા હૃદયકમળમાં નિશ્ચયાત્મક રૂપ અવધારો, અને એ રીતે નિજ નિજ હૃદયકમળમાં અવધારી રાખેલા નિશ્ચયાત્મક ધર્મ રહસ્ય ઉપર પૂર્ણ શ્રદ્ધા–આકીનતા રાખી જે કાંઈ આત્માને અનર્થ-અહિતકર થાય એવાં પ્રતિકૂળ કાર્ય કોઈ પણ પ્રાણી પ્રત્યે ન જ આચરે, પ્રાણીમાત્ર સુખના અથી હોવાથી તેમને અસુખ યા દુઃખરૂપ થાય એવાં કઈપણ કાર્ય મનથી, વચનથી કે કાયાથી કરવાં જ નહિ. જે જે કાર્યો આપણને અહિત અથવા દુઃખરૂપ થતાં જણાય છે તે કાર્યો અન્ય જીવો પ્રત્યે ન જ કરવા જોઈએ. જે જે કાર્યો આપણને હિતરૂપ યા સુખરૂપ થતાં જણાય છે તે સત્કાર્યો અન્ય પ્રત્યે આચરવા લક્ષ રાખવું જોઈએ.” એવું ઉત્તમ તાત્પર્ય ઉપરના કલેકમાં
SR No.022875
Book TitleLekh Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1939
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy