SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ [ ૩૦૯ ] પિતાના માનવબંધુઓને અને તેમાં પણ વિશેષ કરીને પિતાના સ્વમીંબંધુઓને સમચિત વ્યાવહારિક, નૈતિક અને ધાર્મિક કેળવણી આપીને ઉદ્ભરવા માટે એગ્ય વ્યવસ્થા કરવી જોઈએ. કેટલાક ભેળા દિલના લેકો એવા માંગલિક પ્રસંગે ઉપર જોતજોતામાં જ્ઞાતિજમણ વિગેરે કરી સેંકડો બલકે હજારો રૂપિયા ખચી નાંખે છે ત્યારે તે પ્રસંગે પિતાના જ્ઞાતિબંધુઓ તેમજ ધર્મબંધુઓ સંગીન સહાય મેળવી પિતાનું ભવિષ્ય સુધારી શકે એવી યેજના કરી આપવાનું લક્ષ કઈ વિરલાને જ હોય છે, માટે એ જ માર્ગ પ્રશંસાપાત્ર અને અનુકરણીય છે કે જેથી પિતાના માનવબંધુઓનું તેમજ સ્વધર્મબંધુઓનું જીવિત દ્રવ્યભાવથી સુધારી શકાય. ઉપર પ્રમાણે અતિ ઉપયોગી-ઉપકારક કાર્ય પાર પાડવા માટે સમયના જાણ નિ:સ્વાથી સાધુજને–સજજનેની સલાહ લઈ તદનુસારે ભેજના કરવી જોઈએ. પ્રથમ જણાવેલી અનાથ જાનવરની દયા વિવેકપૂર્વક કરવાને ઈચ્છતા સુજ્ઞ ભાઈબહેનોએ શ્રી જીવદયા જ્ઞાન પ્રસારક ફંડના વ્યવસ્થાપકની તેમજ જીવદયાના હિમાયતી સુપ્રસિદ્ધ મિ. લાભશંકર જેવાની સલાહ મેળવી, ગમે તે માંગલિક પ્રસંગે ખર્ચવા ધારેલા દ્રવ્યનો વ્યાજબી વ્યય કરવા લક્ષ રાખવું જોઈએ કેવળ યશ-કીર્તિને ભૂખ લેભ નહિ રાખતાં દુ:ખી પ્રાણીઓની થતી કદર્થના મૂળથી દૂર કરવા તન, મન અને ધનથી સંગીન રીતે ઉદ્યમ કરવો જોઈએ. વળી બીજી આધુનિક પ્રજાઓ કરતાં આપણી પ્રજા કેવી પછાત પડતી જાય છે તેનાં ખરાં કારણે શોધી કાઢી, તેને
SR No.022875
Book TitleLekh Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1939
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy