SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ [ ૨૪] પરંપરા પામ! અને કોઈ પણ પ્રાણું પાપાચરણ મ કરો ! એટલે પાપાચરણથી ડરી તેનાથી દૂર રહે! ઈતિશમ. [ જે. ધ. પ્ર, પુ. ૨૯, પૃ. ૧૬૫] બ્રહ્મચર્યની નવ વાડોનો ટૂંક સારાંશ. બ્રહ્મચર્ય વ્રતધારી ભાઈબહેનના હિત માટે પૂર્વ મહાપુરુષના વચનાનુસાર. વાડ પહેલી. ' (૧) બ્રહ્મચર્ય વ્રતના રક્ષણાથે નીચે જણાવ્યા મુજબ નિર્દોષ સ્થાનમાં નિવાસ કરવો અને બીજા પણ બતાવેલા નિયમે, કાળજીથી પાળવા. જ્યાં સ્ત્રી, પશુ, પંડગ-નપુંસકને નિવાસ હોય ત્યાં શીલવ્રતધારી પુરુષોએ રહેવું જોઈએ નહિ, કેમકે તેથી સહેજે વ્રત-વિરાધનાને પ્રસંગ આવી પડે છે, માટે જ જ્યાં વસતાં કામવિકાર ઉત્પન્ન થવા પામે નહિ એવાં જ સ્થાન બ્રહ્મચર્યવ્રતધારી સ્ત્રી પુરુષોએ રહેવા માટે પસંદ કરવાં જોઈએ અને એવાં નિર્દોષ સ્થાનમાં પણ બ્રહ્મચર્યવ્રતની રક્ષા માટે સાવધાન રહેવું જોઈએ. હેતુ-જેમ વૃક્ષની ડાળ ઉપર વસતો વાનર એવી સંભાળથી રહે છે કે તેને ભૂમિ ઉપર પડી જવાનો પ્રસંગ ન બને, જેમ પાંજરામાં રહેલે પોપટ એવી સંભાળ રાખ્યા કરે છે કે પતે માંજારના સપાટામાં આવી ન જાય, વળી જેમ સુંદરીસ્ત્રી જળનું ભરેલું બેઠું શિર પર છતાં એને એવી યુકિતથી સાચવી રાખે છે કે પડી ન જાય, તેમ બ્રહ્મવ્રતધારી પણ
SR No.022875
Book TitleLekh Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1939
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy