SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ [ ર૭૫ ] વિષયકષાયવશ સ્વાર્થોધ બની જેમ આવે તેમ મુગ્ધ ભાઈબહેને ભરડી નાંખે છે, અર્થહીન, પ્રોજન વગર બક્યા કરે છે, અથવા અનર્થકારી વચનેવડે કલેશ, કંકાસ કે વૈરવિરોધ ઉપજાવે છે, જેનું ભારે અનિષ્ટ પરિણામ અહીં જ આવે છે, તે પછી પરભવમાં કેવાં માઠાં ફળ ભેગવવા પડતાં હશે તે કહે. વિજયા-જયાબહેન ! અહીં જે કંઈક અનિષ્ટ પરિણામ આવતાં જણાય છે તે પરભવમાં ભેગવવા પડતાં મહામાઠાં ફળની વાનગી માત્ર હેઈ તે અહીં કરતાં ઘણગણું કડવાં સમજી લેવાં જોઈએ. એવા અનિષ્ટ પરિણામથી સદંતર બચી જવા ઈચ્છતા ભાઈબહેનોએ પોતાનાં મન, વચન, કાયા કે વિચાર, વાણી ને આચાર ઉપર ઠીક સંયમ કે નિગ્રહ રાખતાં શીખવું જોઈએ. તેમની વિષમતા યા વકતા ટાળી સમાનતા યા સરલતા આદરવી જોઈએ. મલિનતા દૂર કરી પવિત્રતા દાખલ કરવી જોઈએ. મધુરી વીણાના દઢ વ્યવસ્થિત તારની પેઠે પોતાનાં વિચાર, વાણું ને આચારની એકતા-સમાનતા-વ્યવસ્થિતતા સાથે પવિત્રતા જાળવી રાખવાથી જ સ્વપરનું હિત સાધી શકાય છે, એથી જ ઉન્નતિ થાય છે, ને અન્યથા અવનતિ થવા પામે છે. જયા–જી સ્વેચ્છાચાર યા સ્વછંદતાથી પાપાચરણ કર્યા કરે છે, તેનું ઓછામાં ઓછું ને વધારેમાં વધારે કેટલા ગણું કડવું ફળ તેમને વહેલું બેડું ભેગવવું પડતું હશે ? | વિજયા-ઓછામાં ઓછું દશગણું અને તે પાપ જે તીવ્ર ભાવે ખૂબ રાચીમાચીને કરવામાં આવે તે સગણું, હજારગણું એમ વધતું કડવું ફળ-પરિણામ પિતાની માઠી
SR No.022875
Book TitleLekh Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1939
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy