SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ [ ૨૬૫ ] આપનારી દયા-જયનું જ છે” “સર્વે જીવોને સ્વઆત્મા સમાન સમભાવે જેનાર એ શાનત દાન્ત આત્મા પાપકર્મ બાંધતે નથી-પાપથી લેપાતા નથી. ઉપરોક્ત અનેક પ્રમાણવા અનેક શાસ્ત્રમાં આપેલાં નજરે પડે છે. શાતા–ત્યારે તો કોઈને દુઃખ નહિ પણ સુખ આપવા સાવધાનપણે વર્તવાથી જ આપણે દુઃખ માત્રને ટાળી સુખ પામી શકીએ શું? એમ જ હોય તો આપણે હલનચલનાદિક પણ શી રીતે કરવી ? કાન્તા–હલનચલન, ખાનપાન, ભાષણ, શયનાદિક દરેક ક્રિયા કરતાં કોઈ જીવને નાહક નુકશાન ન પહોંચે તેમ સાવધાનતાથી વર્તવું જોઈએ. નહિ તે જરૂર પાપકર્મ લાગે જ અને તેના કડવાં ફળ અવશ્ય જોગવવાં પડે જ, તેથી જ આપણું કતિપત સ્વાર્થની ખાતર સુખશીલતાથી કઈ જીવને દુ:ખ યા પ્રતિકૂળતા ઉપજે એવું ન જ કરવું ઘટે, કેમકે એવું દુઃખ યા પ્રતિકૂળતા આપણને કોઈ ઉપજાવે તે ચતું નથી, તે બીજાને કેમ જ રુચે ? સુખ કે સાનુકૂળતા જેમ આપણને ગમે છે તેમ બીજાને પણ ગમે જ, એમ સમજી સહુને સુખ-શાન્તિ ઉપજાવવા સાવધાન રહેવું ઘટે. અન્ય જીવોને સુખ-શાતિમાં સ્વાર્થવશ અંતરાય કરવાથી તેવું જ માઠું અંતરાય કર્મ બંધાય છે અને તેનું માઠું ફળ ભેગવવું પડે છે, એમ જ્ઞાની અનુભવી જને કહે છે, ઈતિશમ. [ રૈ. ધ. પ્ર. પુ. ૩૭, પૃ. ૨૬ ]
SR No.022875
Book TitleLekh Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1939
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy