SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૭૬ ]. શ્રી Íરવિજયજી ૨૩ નિર્ધન તરફ દયા કરે, તેને સહાય આપે, તેને ઊંચા લાવ, તમારી જેવા થાય એમ ઈચ્છો. ૨૪ વધારે ભણ્યા છે તે તેનું અભિમાન ન કરો. ૨૫ જગતમાં અભિમાનીની કિંમત બહુ અલ્પ થાય છે. ૨૬ અભિમાન એ વિદ્યાનું અજીર્ણ છે. ૨૭ તમારે યશવાદ બોલાતે હોય તો તેથી પણ કુલાઈ ન જશે. ૨૮ આજ જશ બોલનારા કાલે જ પાછા અપજશ બોલશે. ૨૯ જશને જાળવી રાખવાને પ્રયત્ન કરે. ૩૦ મળે જશ ચાલ્યા જતાં વાર લાગતી નથી, તેને માટે સદા સાવધાન રહે. - ૩૧ તમારી કરતાં વધારે ઉત્તમ કાર્ય કરનારા અને જેઓ મૃત્યુ પામી ગયા છતાં પણ અદ્યાપિ જેને યશ બોલાતો હોય તેના તરફ દષ્ટિ કરે. ૩૨ નીચી નજર તો કરશે જ નહિ. ૩૩ નીચી નજર તો નીચે જવું હાય-નીચા થવું હોય તે રાખે. ૩૪ સરલ હૃદયના રહા, કપટ ન કરે. ૩૫ માયાવીને જગત ઓળખી કાઢે છે. ૩૬ જગત પાસે કોઈ છાનું રહી શકતું નથી. ૩૭ સરલતા જેવું સુખ નથી. ૩૮ સરલ મનુષ્યને જગત બધું વિશ્વાસ કરે છે.
SR No.022875
Book TitleLekh Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1939
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy