SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ | [ ૧૬૧ ] અવસ્થા આવી ન પહોંચે, વ્યાધિ વૃદ્ધિ ન પામે અને ઈન્દ્રિયબળ ક્ષીણ થઈ ન જાય ત્યાં સુધીમાં ધર્મનું સંસેવન કરી લેવાય એમ છે, માટે જાગૃત થાઓ, જાગૃત થાઓ. ઈતિશમ. [ જે. ધ. પ્ર. પુ. ૩૪, પૃ. ૨૯૮. ] જન્મ મરણનાં અનંતા દુઃખમાંથી છૂટવા માટે ભવ્યાત્માએ કરવો ઘટતે વિચાર. જન્મતાં અને મરતાં જીવોને અત્યંત દુઃખ થાય છે, તે દુઃખથી સદા ય સંતપ્ત રહેતા હોવાથી તેમને પૂર્વજન્મનું સ્મરણ થઈ શકતું નથી. ” અગ્નિ જેવી તપાવીને લાલચોળ કરેલી તીખી-અણીદાર સોયો એકીસાથે રુંવાડે રુંવાડે ભેંકવાથી જીવને જેટલું દુઃખ થાય તેથી આઠગણું દુ:ખ ગર્ભમાં વસતા ગર્ભવાસીને થાય છે.” ગર્ભથકી બહાર નીકળતાં જીવને માતાની નિરૂપી અંતરડીમાંથી પીલાતાં જે દુઃખ થાય છે તે પૂર્વના દુઃખ કરતાં લાખગણું અથવા કોડાકોડગણું પણ વધારે થાય છે. ” કોઈક ઉત્તમ ગર્ભવાસી જીવ ધર્મશીલ માતા, પિતા કે ગુર્નાદિકના સાનિધ્યથી ધર્મોપદેશને સાંભળી, તેમાં પોતાનું ચિત્ત રંગી નાંખી, તેમાં જ તદ્દગત (એકાગ્ર) બની જઈ (દેવયોગે અલ્પ આયુષ્ય હોવાથી) જે મરણ પામે છે તે તે શુભ ભાવથી દેવગતિમાં ઉપજે અને એથી ઊલટું જે અવધિજ્ઞાનથી ૧૧
SR No.022875
Book TitleLekh Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1939
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy