SearchBrowseAboutContactDonate
Page Preview
Page 775
Loading...
Download File
Download File
Page Text
________________ દર્શન કરવા હોય તો તીર્થકરો આ ધરતી ઉપર વિચરતા હોય ત્યારે જન્મ લેવો જોઈએ, કેમકે છે. તીર્થકરોની પરિચર્યામાં હંમેશા સેંકડો દેવ-દેવીઓ રહે છે, જેથી લોકોને પ્રત્યક્ષ જોવા મળે છે. છે બાકીનાં ત્રણ શરીરની હકીકત આ લેખમાં આપવી જરૂરી નથી. આવા વૈક્રિય શરીરધારી દેવોને દેવલોકમાં જન્મ થતાંની સાથે જ ભૂત, ભવિષ્ય અને હું છે. વર્તમાનના ભાવોને મર્યાદિતપણે જણાવવાવાળું “અવધિજ્ઞાન” થી ઓળખાતું જ્ઞાન પેદા થાય છે, છે અને તે જ્ઞાનથી ભગવાન પ્રત્યે ભક્તોની સમર્પણભાવની ભક્તિ જોઈને તેઓના ઇષ્ટકાર્યની સિદ્ધિ, ( સફળતા અને મનોકામનાની પૂર્તિ વગેરે કાર્યોમાં યથાશક્તિ સહાયક બને છે. એ જ રીતે ખુદ $ એ દેવ-દેવીનું નામ, સ્મરણ, પૂજા, ઉપાસના કરવામાં આવે તો પણ તેઓ પ્રસન્ન થઈને છે | મનોકામનાઓ પૂર્ણ કરવામાં સહાયક બને છે. સાધના જયારે ટોચે પહોંચે છે ત્યારે ઇષ્ટકાર્યમાં ધારેલી સફળતા અને સિદ્ધિ મેળવી શકે છે. દેવ અને દેવીઓ અકલ્પનીય, અદ્ભુત અને આશ્ચર્યજનક ચમત્કારો સર્જી શકે છે. તેઓ માનવજાત કરતાં હજારગણા સુખી, બુદ્ધિવંત, પ્રકાશમય શરીરવાળા, રૂપરૂપના અંબાર સમા. સદા નિરોગી, ઘણાં ઘણાં દિવસોને અંતે ફકત એક જ વાર શ્વાસ લેવાવાળા હોય છે. સુગંધી શ્વાસવાળા આ દેવ-દેવીઓ લાખો કરોડો વર્ષના આયુષ્યવાળા છે અને હંમેશા માત્ર એક યુવાવસ્થાવાળા જ અને ઘણાં ઘણાં દિવસો કે વરસો બાદ એક જ વાર છે. મનથી આહાર ગ્રહણ કરનારા છે. છે ભગવતી પદ્માવતી દેવી, તેનો પરિચય વગેરે : ઉપર દેવ દેવીઓ, વન કર્યું તેને અનુરૂપ . પાતાલમાં વરદત. - ૧ | છે. દેવી છે. આ દેવ દેવીઓ માત્ર ભૌતિક સુખમાં જ સહાયક નથી બનતાં પરંતુ નિખાન, કેતન . પ્રાપ્તિ અને કર્મક્ષયમાં પણ કારણ બને છે. એ વાતનો ઉલ્લેખ માતાજીના સ્તોત્રમાં કર્યો છે. આ ઉપરાંત શાસ્ત્ર અને કલાની દષ્ટિએ પણ નાની-મોટી ઘણી બધી વિશેષતાઓ છે. જેમકે વાહન માત્ર સર્પનું જ નહીં પણ કુર્કટ સર્પ એટલે કૂકડાના મોઢાવાળો એવો સર્પ જે ઉડી શકતો . હતો. પ્રાચીન કાળમાં ખાસ કરીને દક્ષિણ ભારતમાં આવા ર થતા હતા. આજે આ જાત નાશ છે પામી છે. મુખ્યત્વે કૂકડાના મુખવાળા સર્પનું વાહન હોવા છતાં આવા સર્પવાળી મૂર્તિ મને ક્યાંય જોવા ન મળી, એટલે થયું કે મારે આ અસલી વાહનને પણ પ્રસિદ્ધિ આપવી, એટલે આ મોટું બનાવ્યું અને સર્પ કલાત્મક ગૂંચળાવાળો સુંદર બનાવરાવ્યો. યોગમાર્ગના તાર્કિકો સર્પવાહનને કુંડલિની” સંજ્ઞક સૂચવે છે. કુંડલિની એ પદ્માવતીદેવીનું જ બીજું નામ છે એમ અભ્યાસીઓ માને છે. સાદો સર્પ પણ બતાવી શકાય છે. દેશમાં તીર્થકરોમાં વધુ મંદિરો, મૂર્તિઓ પાર્શ્વનાથજીની અને દેવીઓમાં સૌથી વધુ મૂર્તિઓ પદ્માવતીજીની : પદ્માવતી દેવીનાં આસન, વાહન અને આયુધો વગેરે બાબતોમાં મત-મતાંતર છે. કાયા અને વસ્ત્રો માટે પીળો અને લાલ બે રંગો જણાવ્યા છે. શ્વેતાંબરોમાં ચાર હાથવાળી મૂર્તિ પ્રસિદ્ધ છે ---- --૯-૩ઋ----- ----- ૩૬ [ ૭૪૬] --- ---- --- ---
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy