SearchBrowseAboutContactDonate
Page Preview
Page 725
Loading...
Download File
Download File
Page Text
________________ કે ગુરુદેવોએ મુનિશ્રી યશોવિજયજીના + ૬૧માં વર્ષના પ્રવેશ પ્રસંગે સ્વયંભૂ ઇચ્છાથી ઘાટકોપરથી છે પાઠવેલા શુભાશીર્વાદ, પૂજય મુનિજીના દીક્ષાના ૪૬માં વર્ષના પ્રવેશ નિમિત્તે પણ પૂજ્ય આ યુગદિવાકરશ્રીજીએ વ્યક્ત કરેલી શુભભાવના અને આશીર્વાદ તથા તેઓશ્રીના આશીર્વાદાત્મક કે લખાણનો બ્લોક, શત્રુંજયહોસ્પિટલના ભવ્ય ઉદ્ઘાટનના સમાચાર જાણી અને મુંબઈ આવવા માટે ? મુનિજીએ સંમતિ આપી તે માટે મુંબઈથી પત્ર દ્વારા પૂજ્ય યુગદિવાકરશ્રીજીએ વ્યક્ત કરેલો આનંદ, કે છે મુંબઇથી વિહાર કરતાં ચોપાટીમાં વિદાયગીરી પ્રસંગે ઉપસ્થિત થયેલી ૫૦ હજારની માનવમેદની ને ને વચ્ચે પૂજ્ય આ.શ્રી વિજયધર્મસૂરિજી મહારાજને તથા મુનિશ્રી યશોવિજયજીને અણજાણપણામાં 8 છે આપેલી પદવીઓની ઘટનાની નોંધ, મુનિજીને આચાર્યપદવી આપવા માટે વિનંતી કરતા જુદા જુદા છે શ્રાવકોએ ગુરુદેવો ઉપર લખેલા ૧ થી ૫ પત્રો પૃષ્ઠ નંબર ૧૬૪ થી ૧૬૯ ઉપર આપ્યા છે. તે છે પછી મુંબઇમાં ઊભા થનારા કીર્તિસ્થંભની જન્મકથા તથા ઇતિહાસ, ત્યારપછી વધારાની પુરાણી છે એક પત્ર શ્રેણી ૧૭૨માં પાને શરૂ થઇ ૧૯૫માં પાને પૂર્ણ થાય છે. તેમાં *સં. ૧૯૮૮માં તે આ ગુરુદેવોનો પાલીતાણા-સિહોરના ચોમાસાના પ્રસંગને અનુલક્ષીને પરસ્પર પત્રવ્યવહાર થયો હતો છે તે પ્રગટ કર્યો છે. આ પત્રોમાં બાલમુનિને બરાબર યાદ કરી “શ્રીમાનું યશસ્વીજી,” “બાલયોગી' વગેરે ભારોભાર પ્રેમ ઠાલવતા, કલ્પનામાં ન આવે એવા રોમહર્ષ ઉલ્લેખો પણ વાચકોને જોવા મળશે. પૃષ્ઠ નંબર ૧૭૨ થી શરૂ થતી અને ૧૯૫માં પૃષ્ઠ ઉપર પૂર્ણ થતી શ્રેણીમાં ૧ થી ૧૫ પત્રો પ્રગટ કર્યા છે. તેમાં પહેલો પત્ર પૂજ્ય આચાર્ય શ્રી વિજય મોહનસૂરિજી મહારાજે પાલીતાણા છે બિરાજતા પોતાના શિષ્ય ઉપાધ્યાય શ્રી પ્રતાપવિજયજી ઉપર લખેલો છે. બીજો પત્ર પૂજય છે કે ધર્મવિજયજી મહારાજે પાલીતાણામાં પોતાના ગુરુદેવને પોતાની પદવીની બાબત અંગે લખેલો છે. જે ત્રીજો, ચોથો પત્ર સિહોરથી પૂ.આ. શ્રી વિજય મોહનસૂરિજી મહારાજે પાલીતાણા પોતાના શિષ્ય ઉપા. શ્રી પ્રતાપવિજયજી ઉપર લખેલો છે. ગુરુ-શિષ્ય બંનેના પત્ર ખૂબ જ હૃદયસ્પર્શી છે. દરેક છે - સાધુ માટે ખાસ વાંચવા જેવા અને મનનીય છે. પરસ્પરનો પ્રેમ, વિશ્વાસ, નમ્રતા, સરલતા, ભકિત, કર્તવ્યનિષ્ઠા ખરેખર! આપણને મંત્રમુગ્ધ કરે તેવી છે. ધન્ય છે આવા સરળ, નમ્ર, વિનયશીલ છે અને પ્રેમાળ આત્માઓને! વળી એ પત્રોમાં પણ સહુના પ્રિયપાત્ર બનેલા બાલમુનિશ્રી યશોવિજયજી તે માટે વ્યક્ત કરેલો ભાવ ખાસ જાણવા જેવો છે. પાંચથી નવ નંબરના પત્રો પૂજય ધર્મવિજયજી મહારાજે પાલીતાણા પોતાના ગુરુદેવ ઉપર જે લખેલા છે તે પત્રોમાં બાલમુનિ યશોવિજયજીને કેવી કેવી રીતે, કેવા કેવા શબ્દોમાં બિરદાવી પોતાની અંતરભાવનાને સંતોષી છે. દશમો પત્ર સં. ૧૯૯૨માં પૂ. ઉપા. શ્રી પ્રતાપવિજયજી મહારાજ જામનગર ચોમાસું કરવા ગયા ત્યારે પૂ. આ. શ્રી વિજય મોહનસૂરિજી મહારાજે પાલીતાણાથી નૂતનવર્ષના આશીર્વાદ આપતો જે પત્ર લખ્યો હતો તે ખાસ વાંચવા જેવો છે. પત્ર * પૂ. મુનિશ્રી યશોવિજયજી પોતાની જાતને બહુ લઘુ માનતા હતા. પોતાની જ્ઞાનકલાને મધ્યમ જાણતા હતા અને તેથી કોઈ તેમના જન્મદિવસની યાદ અપાવે તે તેમને જરાય ગમતું નહીં એટલે જન્મદિન કે દીક્ષાદિનની મારા જેવા નાના સાધની ઉજવણી શી ? રખે જાણ ન થઈ જાય તેની મારે તકેદારી રાખતા હતા. એટલે પ્રય ગુરુદેવને પત્ર લખી આશીર્વાદ મંગાવતા ન હતા. ખબર પડશે તો ઉજવણી જેવું કંઇક કરશે પણ એ સામે પૂજવે તે મુદેવો પોતાના શિષ્યના દિવસોની બરાબર યાદી રાખતા હતા અને સામેથી પત્ર લખી આશીવાદ મોકલતા હતા. - ૪ ૧૯૮૮ની સાલ એટલે મુનિશ્રી યશોવિજયજીનું દીક્ષાનું બીજું વર્ષ
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy