SearchBrowseAboutContactDonate
Page Preview
Page 418
Loading...
Download File
Download File
Page Text
________________ જ કથન મુજબ તો પાંચ ગાથામાં જ રચાયું હતું, એમ સ્પષ્ટ થાય છે. પાછળથી આરાધ્ય ભક્તો ને આ ગાથામાં ઉમેરો કરતા આવ્યા છે. છેભગવતી શ્રી પદ્માવતીદેવીજી : શ્રી પાર્શ્વનાથ પ્રભુના અધિષ્ઠાયકો તરીકે પાર્શ્વયક્ષ, ધરણેન્દ્રદેવ અને પાવતી ત્રણની છે વિશેષ પ્રસિદ્ધિ છે. પણ ચોથી વેરોટ્યાદેવી એને પણ અધિષ્ઠાયિકાદેવી તરીકે કેટલાકોએ છે કે સ્વીકારી છે. બંને ધરણેન્દ્રની જ દેવીઓ છે. વાલકેશ્વરમાં ભગવતી શ્રી પદ્માવતીજીની છે પરિકરવાળી અદ્વિતીય મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે, તેમાં વેરોસ્યાને પણ સ્થાન આપ્યું ॐ नमः पार्श्वनाथाय विश्वचिंतामणीयते। ही धरणेन्द्रवैरोट्या-पद्मादेवीयुतायते॥१॥ આનો આદર્શ મૂર્તિમાં રજૂ કરવામાં આવ્યો છે. સ્તોત્રફલ અને જપવિધાન : છે. આ સ્તોત્રનું નામ જ સૂચિત કરે છે કે આનો પાઠ ઉપસર્ગો-એટલે ઉપદ્રવો-વિનોહું અનિષ્ટોનું શમન કરનાર છે. આ ગ્રંથમાં જ જણાવવામાં આવ્યું છે કે પાર્શ્વનાથજીની આરાધના કરી શાન્તિ-મંગલને કરનારી, શુભસંપત્તિ, ઇષ્ટસિદ્ધિ, પુત્રપ્રાપ્તિને આપનારી છે. રોજ ૧૦૮ વાર પવિત્ર થઈ, શુદ્ધ વસ્ત્રાદિક પહેરી, હાર્દિક ભાવપૂર્વક, પૂર્વદિશા સન્મુખ છે સ્થિરાદિ આસને બેસી જાપ કરે તો કાર્યની સિદ્ધિ થાય છે. છ મહિના સુધી જો અખંડ ગણે છે તો દેવિક દોષ અને રાજકીય ભયો કદી થતા નથી તથા માનસિક બેચેની દૂર થઈ પ્રસન્નતા છે હું અનુભવાય છે. કલિકાળમાં પણ આ મહિમાવંત સ્તોત્ર છે. પ્રસ્તુત ગ્રન્થનો પરિચય : શતાવધાની પંડિતજીએ પ્રારંભમાં પાર્શ્વનાથજીની ઐતિહાસિક સાબિતી–માહિતી આપીને છે જીવનચરિત્ર આપ્યું છે. મંત્રોપાસનાનું સ્થાન, તેનો સદુપયોગ, સાધનાવિધિ, પાંચ ગાથાઓનો છે અર્થ, મંત્રના પ્રકારો, યત્રના પ્રકારો, તેનો પૂજનવિધિ, પ્રભાવ, પાંચ ગાથાવાળાથી લઇને ચાર છે જાતના બીજા ઉવસગ્ગહર સ્તોત્રો, તેનો અર્થ, શ્રી પાર્શ્વનાથ ભગવાનનાં ૧૦૮ નામો, તેમનાં ! તીર્થોનો રસિક પરિચય અને અત્યુપયોગી યંત્રોનો વિશાળ સંગ્રહ, આ બધી વસ્તુથી આ કૃતિને . સમૃદ્ધ બનાવવામાં આવી છે. લેખકે આ માટે પુષ્કળ પરિશ્રમ ઉઠાવ્યો છે. | મારા વિદ્વાન મિત્ર શ્રી. અગરચંદજી નાહટાના એક લેખ દ્વારા હમણાં જ નવી વાત જાણવા મલી કે આ સ્તોત્રની પાંચ ગાથા ઉપર યાકિની મહત્તા સૂનથી ઓળખાતા હરિભદ્રસૂરિજીએ ‘ઉવસગ્ગહરસ્તવ પ્રબંધ’ આ નામની ૧૯૫ સંસ્કૃત શ્લોકોની રચના કરેલી મલી છે. પણ એ લેખમાં એમને રજૂ કરેલા થોડા શ્લોકોની ભાષા જોતાં કર્તા અંગે મન શંકાશીલ રહે છે.
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy