SearchBrowseAboutContactDonate
Page Preview
Page 399
Loading...
Download File
Download File
Page Text
________________ ©©©©©©©©©©©©©© PASKSKSKSKSKS$$$$$$$$$S$S$SS$$$$$$$$$$KS&S$S$SKSESTA જે હોય તો તેની સામે બીજો આકર્ષક, સુંદર અને પથ્ય ખોરાક આપવો જ પડશે તો જ ધીમે . જે ધીમે ઝેરી ખોરાકની પકડમાંથી છૂટીને સારો ખોરાક ખાતાં ટેવાતી જશે. આજના યુગમાં માત્ર છે. જ વિરોધ કરવાથી અનિષ્ટ અટકશે જ એ વાત પ્રતીતિકર નથી. પણ તેની સામે સારો વિકલ્પ છે જ રજૂ કરવો એ જ અનિષ્ટને રોકવા માટેનો યુગલક્ષી ઉપાય છે. પણ મારી આ વાત અત્યન્ત છે રૂઢિચુસ્ત, ચુડ્ઝાહિત, અસહિષ્ણુસ્વભાવી અને સર્વથા બંધિયાર માનસ ધરાવનારને જલદી નહીં છે જ સમજાય, પણ તેઓ વર્તમાન દેશકાળની અત્યન્ત વિષમ પરિસ્થિતિને ગંભીરતાથી લક્ષ્યમાં જ ) લે અને આજના યુવાનો-યુવતીઓ શું કરી રહ્યાં છે? કયાં જઈ રહ્યાં છે? એમનું ભાવિ શું છે છે તેની પૂરી માહિતી મેળવે, પછી તેનું ચિંતન કરે અને નજર સામે દેખાતી પરિસ્થિતિ પ્રત્યે છે આંખમિચોલી’ નહીં કરે તો કદાચ તેઓ સહકાર–સાથ આપે કે ન આપે પણ કમમાં કમ 9 વિરોધ કરવાનું તો તેઓ જરૂર ટાળી શકશે એમ મારું ખચિત માનવું છે. આધુનિક પરિસ્થિતિ–યપિ આજથી વીસ વર્ષ પહેલાં આ જાતનો વિચાર કરવાનું છે કે કરાવવાનું સ્થાન ન હતું પણ જે પરાવર્તન બસો વર્ષમાં નહોતું બન્યું તે આ વીશ વર્ષમાં & બન્યું છે. પરિસ્થિતિ ધરખમ પલટો ખાઈ ગઈ છે ત્યારે જ ઉપરોક્ત લખવાનું પ્રાપ્ત થયું છે. છે આ શાસન ટક્યું છે તે પૂર્વાચાર્યોની દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની મહાન પદ્ધતિને માન છે & આપીને શાસન ચલાવવાની કુનેહને આભારી છે. વર્તમાનમાં ભજવાએલાં અનેક નાટકો–છેલ્લાં દસ પંદર વર્ષથી મુંબઇમાં છે રસ્થૂલભદ્ર, રૂપકોશા, ઈલાયચીકુમાર, ચંદનબાળા, જગડુશાહ, શાલિભદ્ર વગેરે અનેક નાટકો કેટલીયેવાર ભજવાઈ ગયાં છે. તમે ઈચ્છો કે ન ઈચ્છો લોકો સ્વયં આ દિશામાં આગળ વધવા છું થનગની રહ્યા છે. આ ધસમસતા પ્રવાહને સર્વથા રોકી શકાય એવી કોઈ શક્તિ જ્યારે આપણી પાસે નથી ત્યારે ઉપર કહ્યું તેમ તેની સામે સુયોગ્ય વિકલ્પ એ જ પ્રવાહને બીજી દિશામાં જ વાળવા માટેનો અસરકારક ઉપાય છે. શાસનને વરેલા-સમર્પિત થયેલા ચિંતકોએ ગંભીરતાથી . શાંતચિત્તથી પૂર્વગ્રહ છોડી, આવેશી બન્યા વિના આ બધું વિચારવું ઘટે. અધિકૃત કથાઓજૈન સંસ્કૃતિ અને તેના સંસ્કારોનું ગૌરવ-મહિમા વધારે અને જે પ્રેરણાનાં પીયૂષનું પાન કરાવે એવી કથાઓ તૈયાર કરીને સામેથી શા માટે ન આપવી? અનધિકૃત વ્યક્તિઓના હાથમાં અધિકાર કાયદો રહે એના કરતાં અધિકૃત વ્યક્તિઓના હાથમાં છે) રહે એમાં સૌને ન્યાય અને સંતોષ મળશે એમ નથી લાગતું? અલબત્ત આપણી મહાન વ્યક્તિઓનાં પાત્રોને પૂરો ન્યાય મળે, તેમનું યોગ્ય સ્થાન, મોભો છુ. છે અને આદર જળવાઈ રહે તે માટે પૂરી તકેદારી લેવાવી જોઈએ અને જરૂર પડે તો એ અંગેની . મર્યાદાઓની લક્ષ્મણરેખા પણ દોરી લેવી જોઈએ. પણ સમ્પ્રચાર માટે પ્રચારનાં સુયોગ્ય છે. માધ્યમો અપનાવવામાં બીનજરૂરી ભય રાખવો ન જોઈએ, જો અનેક ઘરોમાં જૈનધર્મની હવા છે જ પહોંચાડવી હોય તો. દશ્યોની પ્રબળ અસર–શ્રદ્ધા, ભક્તિ અને સુસંસ્કારોનાં પોષક નાટકાદિનાં કે છે Boedelstenetestetenes [390] Medede teretetetztendence
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy