SearchBrowseAboutContactDonate
Page Preview
Page 387
Loading...
Download File
Download File
Page Text
________________ સંગીત, વિ. સં. ૨૦૨૯ આચાર્યશ્રી યશોદેવસૂરિજી લિખિત નૃત્ય, નાટ્યસંબંધી જૈત ઉલ્લેખો અને ગ્રંથો ૨૯ ઇ.સન્ ૧૯૭૩ મારી સંગીતકલાકથા (લેખક-મુનિશ્રી યશોવિજયજી) મારી યાદદાસ્ત મુજબ હું જ્યારે દસેક વર્ષનો હતો ત્યારે મારી જન્મભૂમિ ડભોઈની જૈન પાઠશાળામાં હું ધાર્મિક અભ્યાસ કરતો હતો તે સમયની આ .વાત છે. ડભોઈ એ વડોદરા રાજ્યના પ્રથમ કક્ષાના શહેરો પૈકીનું એક શહેર છે. તે વખતે ત્યાં વિદ્યાપ્રિય અને પ્રજાપ્રિય શ્રીમંત સરકાર સયાજીરાવ ગાયકવાડનું રાજય હતું. વિદ્યા-કલાના પ્રેમી મહારાજાને સંગીતવિદ્યા પ્રત્યે અત્યન્ત આદર હતો અને તેનો તેમણે અજબ શોખ હતો એટલે એમણે તેમના મુખ્ય મુખ્ય શહેરોમાં સંગીતશાળાઓ પ્રજાને સંગીતપ્રવીણ બનાવવા માટે સ્થાપી હતી. એમાં ડભોઈ આવી જતું હતું અર્થાત્ ડભોઈમાં પણ તે શાળા શરૂ થઈ ગઈ હતી. આ શાળાનો સમય કાયમ માટે સાંજનો હતો. ગુજરાતી શાળાના કેન્દ્રિય મહાખંડમાં આ શાળા ચાલતી હતી અને તે વખતે આ શાળાના શિક્ષક તરીકે ઐતિહાસિક શહેર આગ્રાના વતની અને ‘વ્રજ' ભાષામાં સેંકડો ગીતો રચનાર સરસ પિયા કાલેખાંના સુપુત્ર ઉસ્તાદ ગુલામ રસુલખાંસાહેબ હતા. એઓ આ વિદ્યાના શ્રેષ્ઠ વિદ્વાન ગણાતા હતા અનેભારતવિખ્યાત સંગીનિષ્ણાત સ્વ. શ્રી ફૈયાઝખાંના ભાણેજ થતા હતા. આ શાળામાં શહેરના વિવિધ કોમના વિદ્યાર્થીઓ શિક્ષણ લેતા હતા. એમાં બે-ત્રણ મારા મિત્રો પણ હતા. હું પણ તેમાંજ દાખલ થયો.
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy