SearchBrowseAboutContactDonate
Page Preview
Page 384
Loading...
Download File
Download File
Page Text
________________ છે. એક યુગ વીતી ગયો હતો. છાપેલા કાગળ ઉપર તો પીંછી ફેરવવાની જ જગ્યા ન હતી, પછી જે. ક્ષતિવાળાં ચિત્રો કઈ રીતે સુધારી શકાય? એટલે અતિ દિલગીરી સાથે લખવું પડે છે કે થોડાંક છે ચિત્રોમાં થોડી ઘણી ક્ષતિ રહી જ ગઈ. એમાં બે ચિત્રો તો તદ્દન નવેસરથી જ કરાવવાનાં છે. હતાં પણ હવે તો આવું ભગીરથ કાર્ય ફરીથી ભાવિકાળમાં કરાવનારા કોઈ પુણ્યાત્મા નીકળે છે તો સુધારો થઈ શકે પણ હવે તેવા નીકળશે કે કેમ? તે પ્રશ્ન છે. કયા કયા ચિત્રો નવેસરથી કરવાનાં હતાં તે અને કયા કયા ચિત્રમાં કયા સુધારા કરવાના છે હતા તેનો ઉલ્લેખ અહીં કરતો નથી પણ ભગવાન મહાવીરનું આ ચિત્રસંપુટ કેમ તૈયાર થયું છે તેની આદિથી અંત સુધીની નાનકડી કથા લખવા વિચારું છું. અનેક મુશ્કેલીઓ, વિકટ છે પરિસ્થિતિ અને મને થયેલા જાતજાતના રસપ્રદ અનુભવો પણ એમાં હશે. આ એટલા માટે છે પ્રસિદ્ધ કરવી જરૂરી છે કે એથી ભવિષ્યમાં કામ કરનારી નવી પેઢીને માર્ગદર્શક બની રહે. છે૨૩ તીર્થકરોનું બહાર પડનારું સંપુટ, અન્ય મનોરથો અને ભાવિ ચિંતા છે ભગવાન મહાવીરના આ ચિત્રસંપુટની ત્રીજી આવૃત્તિનું કાર્ય પૂર્ણ થયું. હવે પછીના કાર્યક્રમમાં બાકીના ૨૩ તીર્થકરોના પરિચય સાથેના ચિત્રોનું સંપુટ પ્રકાશિત કરવાનું કાર્ય બાકી છે. ૨૪ તીર્થકરો પૈકી, ફક્ત શ્રી આદિનાથજી, શ્રી શાંતિનાથજી, શ્રી નેમિનાથજી, શ્રી પાર્શ્વનાથજી, શ્રીમહાવીરસ્વામીજી આ પાંચ તીર્થકરો ઉપરાંત ફક્ત બીજા બે તીર્થકરો શ્રી મલ્લિનાથ અને એ શ્રીમુનિસુવ્રતસ્વામીના જીવનનાં ચિત્રો બનાવી શકાય તેવી ઘટનાઓ મળે છે. બાકીના તીર્થકરોને પૂર્વભવની કે અંતિમ ભવની કોઈ વિશેષ ઘટના મળતી નથી. કેટલાક લોકો એવું સમજે છે ? કે બાકીના ચાર તીર્થકરોનાં જુદાં જુદાં ચાર આલ્બમો બહાર પડવાનાં છે પણ તેવું નથી. હવે ચારેય તીર્થકરોનું અને બીજા જે હોય તે આમ ૨૩ તીર્થકરોનાં ચિત્રોનું એક જ સંપુટ છે. (આલ્બમ) બહાર પડવાનું છે. પરિણામે બે સચિત્ર ગ્રન્થો દ્વારા બધાય તીર્થકરોના જીવન અને જે કાર્યનો પરિચય મળી જશે. અત્યારે હવે ભગવાન મહાવીરના ચિત્રસંપુટનું કામ જલદી પુરું થઈ જાય એટલે મારી ઇચ્છા ૨૩ તીર્થકરોનું કામ શરૂ કરવાની છે. આ સિવાય ભગવાન મહાવીરના પ્રગટ થયેલાં ચિત્રોની સાઈઝથી નાની સાઈઝમાં એટલે કે કે ડબલ ડેમી સાઈઝ (૪ પેજી) અથવા ક્રાઉન ૮ પેજીમાં ભગવાન મહાવીરનું જીવનચરિત્ર છે. બહાર પાડવાની બહુ જ અગત્ય છે. કેમકે મોટું સંપુટ હેરફેર કરવું ભારે પડી જાય તેવું છે તો પણ પોર્ટેબલ એટલે નાની સાઈઝ હોય તો પ્રવાસમાં બેગ વગેરેમાં મૂકીને લઈ જઈ શકાય. આ જો કે આ કાર્ય ૧૨ વર્ષ પહેલાં થવાનું હતું. વળી ભગવાન મહાવીરને લગતી બીજી એ યોજનાઓ પણ હતી. પરંતુ તે કાર્ય પણ થઈ શક્યું નહિ. બાકીનાં કામો નબળી પડેલ છે શારીરિક પરિસ્થિતિ, ઘણાં બધાં પ્રકાશનોનાં કારણે હવે મારા હાથે થવા પામશે કે કેમ? તેને બાબત પ્રશ્નાર્થક બની છે. ભવિષ્યમાં કોઈ સાધુ મહાત્મા કે સંસ્થા આવું કાર્ય કરવા ધ્યાનમાં છે રાખે તેવી સાદર વિનંતી છે. આપણે ત્યાં યૂરોપ, અમેરિકાની જેમ સારાં પ્રકાશનો તેમજ પોતાના ખર્ચે છાપે તેવી કોઈ
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy