SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ CÁC KHÁNH AN NI erecede દ્વારા અનુપમ ઉપદેશ વ્યક્ત કરાયો છે. છેવટે અપાર અને અનન્ત સાગર જેવા આ સંસારનો અન્ત લાવવા માટે માનવીએ પોતાના મનને કેવું નિર્મલ બનાવવું જોઈએ, દોષો અને વિકારોથી કેવા મુક્ત બનવું જોઈએ? તે કહીને, અન્તમાં પ્રબોધે છે કે હિંસાદિ આશ્રવોને તજી ઈન્દ્રિયોની આસક્તિને વર્જી, કષાયોની જંજીરોને મંજી, જૈનધર્મ અને તેના શાસ્ત્રોનું સેવન કરો! અને તે દ્વારા માનસિક ગંદવાડને ઉલેચો! કર્મશત્રુઓને હઠાવો! અને પ્રશમરતિ' પ્રાપ્ત કરી, વીતરાગી બનીને આત્માનું હિત સાધો ! આત્માર્થીઓ માટે કથાનું શ્રવણ વાંચન કર્યાનું આ જ અન્તિમ ફલ છે. આમ તો ઉપાધ્યાયજીએ વચ્ચે વચ્ચે તાત્ત્વિક, દાર્શનિક, વૈચારિક અનેક બાબતો રજૂ કરતાં; સ્થિરા, કાન્તા, વગેરે દૃષ્ટિઓ, ઉપનિષદ્, ગીતા, સ્મૃતિ આદિની સાક્ષીઓ પણ ટાંકી છે અને જીવન જીવવાની વિવિધ રસમય વાતો પણ સુંદર રીતે પીરસી છે. એમાંના મહત્ત્વના શ્લોકોની તારવણી કરી તેને અનુવાદ સાથે પરિશિષ્ટ રૂપે આપવું એ ખૂબ જરૂરી હતું પણ અત્યારે મારાથી શક્ય નથી બન્યું. આ જ અન્તિમ કથન છે. આઠમા સર્ગનો અન્તિમ ભાગ ખૂબ જ મહત્ત્વનો અને અધ્યાત્મ-યોગાદિ ચિંતનથી સભર છે પણ સંસ્કૃતમાં હોવાને કારણે સામાન્ય વાચકો તેનાથી વંચિત રહેશે, તેનો રંજ અનુભવું છું. ભવિષ્યમાં આનું સુંદર ભાષાંતર પ્રગટ કરવાનું શક્ય બનશે ત્યારે તેનો લાભ સૌને મળશે, બાકી જેઓ સ્વયં કે બીજાઓ દ્વારા વાંચી શકે તેમ હોય તેઓને આઠમા સર્ગનો અન્તિમ ભાગ વાંચી જવા મારો નમ્ર અનુરોધ છે. એમાં અનેક બાબતો રજૂ કરતાં અન્ય દાર્શનિકોની માન્યતાઓ, જૈન સાધુઓએ કેવા વિચાર, વાણી અને વર્તાવનો વહેવાર રાખવો જોઈએ, કેવા ઉદાર અને વિશાળમના થવું જોઇએ એ અંગે સુંદર માર્ગદર્શન આપ્યું છે. અન્તિમ ભાગનું ભાષાંતર પણ આ પ્રકાશનમાં જ અપાયું હોત તો પણ મારા મનને થોડોક સંતોષ થાત, પણ...... આ સમગ્ર રૂપક કથાનો પાયારૂપ સાર શું છે? તે (ઉપમિતિની પ્રસ્તાવનાની જેમ) ઉપાધ્યાયજીએ પહેલા સર્ગમાં આપી દીધો છે. તેનો અથવા તો આઠેય સર્ગનો સાર ગુજરાતીમાં આપ્યો હોત તો ગુજરાતી વાચકોને બહુ જ લાભકર્તા બનત પણ તે મારાથી બની શક્યું નથી તે માટે દિલગીર છું, એમ છતાં સમગ ગ્રંથો સંક્ષિપ્ત સાર, એમાં ખાસ કરીને સંસારી જીવનું અસંવ્યવહાર નગરમાંથી નીકળવું તે પછી હિંસા, ક્રોધ, અને ૧. ઉપમિતિ ગ્રંથકારે પ્રારંભમાં જ સંસારવર્તી એક કલ્પિત નગરની કલ્પના કરતાં ‘કૃષ્ટમૂનપર્યન્ત નામ વિગ્વિન્મદાપુરમ્' આ પંક્તિ દ્વારા ‘અર્દષ્ટમૂલ પર્યન્ત’ આ નામ પસંદ કર્યું છે. ઉપમિતિનું અનુકરણ કરનારા પરવર્તી ગ્રંથકારો પણ એમને જ અનુસર્યા છે પણ ઉપાધ્યાયજીને એ વાત માન્ય ન હતી. એટલે તેઓશ્રીએ ‘અસ્તીત્ત મવાદ્વાન પુમતુનમતૃષ્ટપર્યન્તમ્' (વૈ, રતિ શ્લોક, ૫) લખીને ઉપમિતિમાં અવૃત્ત જે વિશેષ્ય હતું તેને અહી વિશેષણ બનાવીને ‘ભવનગરને’ વિશેષ્ય બનાવી દીધું છે. અર્થાત્ ઉપાધ્યાયજીએ ‘ભવનગર’ એવું નામ પસંદ કર્યું છે. KASTANKAN LALA LA LA LAKONK
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy