SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ %6 9 666666666 699999999999 %69% ભગવાન મહાવીર કહે છે કે એવું શા માટે? સર્વજન શા માટે નહીં? અરે ! સર્વજન છે જ શા માટે? સર્વ તત્ત્વો–પ્રાણીઓ કેમ નહીં? કારણ કે બહુજન કરતાં સર્વજનનો સિદ્ધાંત ઉંચો છે સર્વજન કરતાં સર્વપ્રાણીનો સિદ્ધાન્ત ઉંચો છે, અને સર્વોદયની મહાન ભાવના આ જ સિદ્ધાન્તમાં ) સમાયેલી છે. આ તો પ્રસંગોપાત્ત સૂચન કર્યું. સમગ્ર વિશ્વમાં ચાલી રહેલી ભિન્ન ભિન્ન વિચારસરણીઓના વર્તમાન ઝનૂનનાં ખતરનાક છું ભયને ખાલવા, માનવજાતનો ઝડપથી અને સંપૂર્ણ નાશ કરે તેવા સામસામી દિશામાં ખડકાઈ ચૂકેલા અણુશસ્ત્રો અને ઝેરી બોમ્બોના વિનાશકારી પરિણામોથી વિશ્વને બચાવી લેવું હોય છે અવિશ્વાસ અને ભયના વાતાવરણથી ત્રસ્ત બનેલી માનવજાતને ઉગારી લેવી હોય તો, વિશ્વની . પ્રજાએ અસીમ જ્ઞાન અને અપરિમિતિ કરૂણાના સાગર એવા ભગવાન મહાવીરે માનવજાતના છે ઊર્ધ્વીકરણ માટે પ્રબોધેલા અહિંસાના મહાન સિદ્ધાન્તને વધુને વધુ પ્રમાણમાં જીવનમાં ઉતારવો છે જ જોશે! અને માનવ માનવ વચ્ચે તાદાભ્ય સંબંધ માટે સેતુનું કાર્ય કરનારા અનેકાન્તના ભવ્ય જે આદર્શને જીવનમાં અપનાવવો પડશે! તે ઉપરાંત આપણે સહુ અખૂટ શાંતિ, અગાધ સૌમ્યતા અને અનુપમ સુખનો અનુભવ ) કરવા, ઇન્દ્રિયોના વિષયો અને ક્રોધ-માન લોભ આદિ કષાયત્યાગના પવિત્ર આદેશોને અનુસરી જી અને એ બધી સાધના-ઉપાસના દ્વારા બહિરાત્મ, અંતરાત્મદશાનાં શિખરોને વટાવીને 2 પરમાત્મદશાનાં એવરેસ્ટ સર કરીએ એજ મંગલ કામના! જે પ્રસ્તુત પુસ્તક અંગે : ભગવાન શ્રી મહાવીરના બહુ ઓછી ભાષામાં પચાસથી વધુ ચરિત્રો પ્રસિદ્ધ થયાં છે. દુઃખની વાત એ છે કે, હજુ પણ ભારતની મુખ્ય મુખ્ય (ચૌદથી પંદર) ભાષામાં પ્રગટ થયાં નથી. યદ્યપિ શ્રી મહાવીર દેવની મંગલ અને કલ્યાણકર વાણીનો સંગ્રહ ઘણા મોટા પ્રમાણમાં જ ઉપલબ્ધ થયો પણ તેઓશ્રીના ખુદના જીવનની ઘટનાઓ કે કાર્યોની હકીકતો બહુ જ ઓછી જ મળે છે. અને તેય સીલસીલા બંધ તો નહીં જ. જેમ કે બાલ્યકાળ પછીથી દીક્ષા ગ્રહણ સુધીના છે સમય ઉપર લગભગ અંધારપટ, સાધના કાળ અને સર્વજ્ઞ થયા બાદ નિર્વાણ સુધીના કાળની છે હકીકતો પણ સંતોષજનક મળતી નથી. તેમજ તેમના સંઘની સાધક વ્યક્તિઓની નોધો પણ છે ઓછી મળે છે. એમ છતાં હકીકતોની છે અને જેવી સામગ્રી મળે છે તે ઉપરથી જુદા જુદા & લખકો પોતપોતાની કુશળતા મુજબ રસોઈ પકવી લે છે. શ્રી જોષીએ પણ એ રીતે રસોઈ જ પકવી છે. એ કેવી પકવી છે? એનો જવાબ એને આરોગનારા વાચકે જ આપી શકે ! હું જ તે વાચકોને એટલું જ કહ્યું કે તેઓ પરમ આત્માના, એક વિશિષ્ટ ઢબે લખાયેલા આ ચરિત્રને છે વાચે, વિચારે અને હૃદયમાં ઉતારીને તેમના ચીધેલા માર્ગે ચાલવાનો આંશિક પ્રયત્ન કરીને છે છે લેખકના શ્રમને સાર્થક કરે! લેખક દ્વારા કાચું મેટર ફેર કરવા પ્રસંગે હકીકતોને નવો રંગ છે છે આપવા જતાં અજાણતાં કે પ્રમાદના કારણે ક્યાંક ક્યાંક શાસ્ત્ર અને ઇતિહાસ વિરુદ્ધ નિર્દેશો ) છે થવા પામ્યા છે. તેનું શકય એટલું શુદ્ધિપત્રક આપ્યું છે, તે જોઈ સુધારીને વાંચવા વિનંતી છે. ? ©©©©©©©©©© [ ૨૩૨ ટક્ક©©©©©©©©જ્જ 69% %
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy