SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ *********************** ******* ** ****** ********** ** ********* ૧૩. ઉપાધ્યાયજીએ સ્તુતિની રચનાના શ્રમના ફળ તરીકે શું માગ્યું? ૧૪. પ્રશસ્તિગત વિશેષતાઓ. ૧. સ્તુતિચોવીશી એટલે શું? સ્તુતિ અને ચોવીશી આ બે શબ્દના સંયોગથી ‘સ્તુતિ ચોવીશી' એવી નામ નિષ્પત્તિ થઈ છે. એમાં પ્રથમ “સ્તુતિ,' શબ્દના અર્થને વિચારીએ. જિનેશ્વરદેવના વિશિષ્ટ સદ્ગણોનાં કીર્તનાદિ અંગે જે રચનાઓ થઈ છે તેના માટે સ્ત્રીલિંગ ‘સ્તુતિ” શબ્દ નિર્માણ કરવામાં આવ્યો છે. તે ઉપરાંત સ્તવ, સંતવ, સ્તવન, સ્તોત્ર એવા શબ્દો ૐ પણ યોજાયા છે. એ બધાય શબ્દોના મૂલમાં સ્તુ' ધાતુ બેઠેલો છે. ‘સ્તુ' ધાતુ સ્તુતિ અર્થમાં વપરાયો છે. એને ફુટ અર્થ વિચારીએ તો ગુણપ્રશંસા કરવી, વખાણ કરવાં, તારીફ કરવી, સારું બોલવું વગેરે થાય. સ્તુતિની રચનાઓના અનેક પ્રકારો છે પણ અહીંયા તો માત્ર ઉપરોક્ત એક જ પ્રકાર પ્રસ્તુત છે, અને અહીંયા એને અંગે જ કંઈક વિચારણા કરવાની છે. સ્તુતિ બે પ્રકારની છે. એક નમસ્કાર કરવા રૂ૫, એટલે કે પરમાત્માને નમસ્કાર કર્યો, એટલે સ્તુતિ કરી એમ કહેવાય. બીજા પ્રકારમાં જિનેશ્વર દેવનાં અસાધારણ ગુણોનું કીર્તન કરવું તે. અહીંયા પ્રસ્તુત વિચારણા માટે બીજો પ્રકાર અભીષ્ટ છે. અર્થની દૃષ્ટિએ જોઈએ તો સ્તુતિ, સ્તવ વગેરે શબ્દો સમાન અર્થના વાચક છે. એમ $ જ છતાં રચનાની દૃષ્ટિએ જોઈએ તો સૂક્ષ્મ ભેદરેખા બતાવી શકાય ખરી! પણ અહીંયા બીજા પ્રકારોને જતા કરીએ, પણ સ્તુતિ અને સ્તવ બને જ શબ્દો વચ્ચેનો ભેદ વિચારીએ તો અર્થની દષ્ટિએ નહીં, પણ પ્રકારની દૃષ્ટિએ એવો ભેદ છે કે-એક પશ્લોકથી લઈને ત્રણ શ્લોક ૪ (પાછળથી ચાર શ્લોક) સુધીની સંસ્કૃત કાવ્યરચનાને સ્તુતિ કહેવાય છે, જ્યારે ત્રણ કે ચારથી ************************ * * **** ************************* ********************** ૧- ‘દુડ્ઝ' સુતા | ૨– થરં વનેડા, સ્તવઃ સ્તોત્ર સ્તુતિનુતિઃ, સ્નાયા પ્રશંસાવા , (મ૦ વિ૦ નામમાતા. પણ ૨. ૧૬૩-૬૪) स्तुति म गुणकयनम् (महि० स्तो०) - સ્તુતિથિા-પ્રVIIII, ગણધાર'Tvોત્કીર્તનપા ૨ (બાવ૦) ---- स्तुतिस्तोत्राणि जिनानां तु आप्तानामेव (पंचा०) - તત્ર સ્તુતિજજ્ઞમાના | एव दुगे तिसलोका, थुतीसु अत्रेसि जा होइ सत्त। .................. તે તું પરં થવા દો ! () ૬ -- સમયપરિમાપયા તિવતુટ (પંથી) તુર્થતઃ છિન મર્યાવીના. **** ******** * **××****************ત્ર [ ૨૦૭] * **** **** **
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy