SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ ******************************************************* વૈજ્ઞાનિકોની માન્યતાવાળી પૃથ્વી અને જૈનશાસ્ત્રોની માન્યતાવાળી પૃથ્વી તેમજ તેને સ્પર્શતી બીજી કેટલીક બાબતો વિષે બંને પક્ષો શું કહે છે તેની ટૂંકમાં સ્કૂલ સ્થૂલ બાબતો જણાવી છે. રહ્યા નથી, માન્યતા વચ્ચે આકાશ-પાતાળ જેટલું અંતર છે. વૈજ્ઞાનિકો પૃથ્વીને આકાશમાં અદ્ધર રહેલી, વળી તે ફરતી અને લગભગ દડા જેવી નહિ પણ હવે જમરૂખ કે નાસપતી આકાર જેવી ગોળ માને છે. જ્યારે જૈનશાસ્ત્રની ભૂગોળ એ પૃથ્વીની સાથે કરોડો માઇલની બીજી લાંબી પૃથ્વી જોડાયેલી છે એમ કહે છે. (જેનું નામ પહેલી નરક છે), અને એ પૃથ્વી પૂરી થયા પછી આકાશ-અવકાશ જરૂર આવે છે. જોડાયેલી સંયુક્ત પૃથ્વી આકાશમાં છે એમ જરૂર કહી શકાય. આથી એક વાત નિશ્ચિત સમજી લેવી કે જૈનોની પૃથ્વી બીજી પૃથ્વી સાથે જોડાયેલી છે, અને પૃથ્વી ફરતી નહિ પણ સ્થિર માને છે. જૈનો પૃથ્વીને ગોળ માનતા નથી. તે કેવી રીતે માને છે તે અંગે આ વિષયથી અણજાણ એવા સહુ માટે અને વિશેષ તો જૈન વિદ્યાર્થીઓને વાસ્તવિક પરિસ્થિતિની જાણ કરવા અહીં પ્રથમ લેખમાં જરૂરી વિગતો નીચે આપી છે. * અહીંથી મૂળ લેખ શરૂ થાય છે જ વૈજ્ઞાનિકો જે પૃથ્વીની વાત કરે છે તે જ પૃથ્વીની વાત આપણે કરવાની છે, પણ બંને વચ્ચે જે ફરક છે તે ફરક આપણને ધ્યાનમાં રહે એ માટે અહીં જરૂરી વિગતો જણાવું છું. જો કે પૃથ્વી અને તેને સ્પર્શતી બાબતોમાં જૈન ભૂગોળ અને વિજ્ઞાન વચ્ચે એટલું બધું અંતર છે કે આપણી સાથે કશો મેળ ખાય તેમ નથી, એટલે એ અંગે કશું લખવાનું છે નહિ. અહીં તો ફક્ત વિજ્ઞાનની ભૂગોળનો જરૂરી ખ્યાલ આપી જૈનમાન્યતા શું છે તે જણાવી દઉં જેથી અભ્યાસીઓને ખૂબ જ સંતોષ થશે. કારણ નીચે ******************************* લેખાંક—૧ ગણતરી * નોંધ :—વિજ્ઞાન જે પૃથ્વીની વાત કરે છે તે જ પૃથ્વીની વાત જૈનશાસ્ત્રો કરે છે પણ બંનેની કર્યું ૧. પૃથ્વી ચારેબાજુથી દડા જેવી ગોળ છે, તે વાત પશ્ચિમના વૈજ્ઞાનિકો ૫૦૦ વરસથી નિશ્ચિતપણે કહેતા હતા પણ આજથી ત્રીસેક વરસ પહેલાં વૈજ્ઞાનિકોએ સુધારો જાહેર કર્યો કે પૃથ્વી ઉપરના ભાગે સાવ ગોળ પરંતુ ઉપરનો થોડો ભાગ ઊંચો છે તેથી તે જમરૂખ જેવી છે. આમ વરસોથી સ્થાપિત થયેલો મત ફેરવવામાં બન્યું નવું શોધાયેલું રોકેટ, રોકેટ જે સ્થળેથી છોડાય છે અને જે સ્થળેથી પસાર થાય છે એનું માપ અને વિશ્વનાં અનેક દેશોનાં યન્ત્રો નોંધતા હોય છે. અમેરિકાથી છૂટેલા રોકેટને પૃથ્વીના ઉપરના ભાગમાં થઇને ઉતરતા રોકેટની ગતિ માટે જેટલી ક્ષણો નિશ્ચિત કરી હતી તેના કરતાં રોકેટે કંઇક વધારે ટાઇમ લીધો. તે પછી તે અંગે વિચારણા, સંશોધન કરતાં અંકે થયું કે રોકેટ થોડું ઊંચું ચઢીને નીચે ઉતર્યું છે, એટલે નક્કી કે પૃથ્વી ઉપરથી સાવ ગાળ નથી પણ અણિયાળી છે. *************** ******************************************************* *******
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy