SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ માતૃભકત મહાવીર ભગવાન મહાવીરનાં માતા ત્રિશલાનો ગર્ભકાળ પૂરો થયો ને એમણે પુત્રને જન્મ આપ્યો. રાજા સિદ્ધાર્થના પરિવારમાં આનંદ આનંદ છવાઈ ગયો. સમગ્ર નગરીમાં વર્ધમાનકુમારના જન્મનો મહોત્સવ મંડાયો. એ જ્યારથી ગર્ભમાં આવ્યા ત્યારથી રાજા સિદ્ધાર્થને ત્યાં ધન, સમૃદ્ધિ, યશ-કીર્તિ, આરોગ્ય વિગેરે બધું વધતું જ રહ્યું હતું. એટલે એ લોકોએ નક્કી કર્યું હતું કે જ્યારે આપણે ત્યાં પુત્ર જન્મ થશે ત્યારે એનું નામ વર્ધમાન એવું આપીશું... અને એ રીતે પુત્રનું નામ ‘વર્ધમાનકુમાર' પાડવામાં આવ્યું. વર્ધમાનકુમા૨ ધીમેધીમે મોટા થઈ રહ્યા છે, ઉછરી રહ્યા છે. એ સાત-આઠ વર્ષના થયા ને એમણે કેટલાક મિત્રો બનાવ્યા. મિત્રોની ૧૫
SR No.022872
Book TitleMatrubhakta Mahavir
Original Sutra AuthorN/A
AuthorJinchandra Muni
PublisherPrerna Prakashan
Publication Year2001
Total Pages70
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy