SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ભાઈ-બહેન વગેરેનો પરિચય એમની મોટી કૃતિઓ ‘વ્રતવિચાર રાસ', ‘હીરવિજયસૂરિ રાસ’ તેમ જ ‘ઉપદેશમાલા રાસ' વગેરે રાસાઓમાંથી થોડું થોડું જાણવા મળે છે. તેના આધારે તેમના જીવનનો પરિચય દર્શાવ્યો છે. કવિ ઋષભદાસનો સમય કવિ ઋષભદાસના જન્મ યા મરણ વિષેની સ્પષ્ટ માહિતી તેમની કોઈ પણ કૃતિમાંથી, તેમ જ અન્ય સ્થળેથી પ્રાપ્ત થતી ન હોવાને કારણે તેમના જીવનની બે સીમારેખાઓ પૂર્વમર્યાદા અને ઉત્તરમર્યાદા માત્ર અનુમાનથી જ આંકવા પ્રયત્ન કર્યો છે. કવિની પ્રથમ અને છેલ્લી કૃતિઓની રચનાની સાલો જ તેમનો જીવનકાળ નક્કી કરવા માટે સહાયરૂપ બને છે. વિદ્વાન શ્રી મોહનલાલ દલીચંદ દેસાઈના મતાનુસાર તેમની પહેલી મોટી કૃતિ 'વ્રતવિચાર રાસ' સં. ૧૬૬૬માં રચાયેલી છે. જેમ કે, સોલ સંવચ્છરિ જાણિ વર્ષ છાસઠ, કાતીએ વદિ દિપક દાઢો, રાસ તવ નીપનો આગમિ ઉપનો, સોય સુહાતાં તુમ પુણ્યગાઢો. આ પ્રથમ કૃતિના અંતે પોતાની ગૃહસ્થ સ્થિતિનું પણ વર્ણન ટૂંકમાં કરેલું છે. જેમ કે, સુંદર ઘર્ણ રે દીસઈ શોભતી, બહઇની બાંધવ જોય, બાલક દીસઈ રે રમતાં બારણઈ કુટુંબ તણી કંઇ કોડય, વ્યવરી મઈહઈશ રે દીસઈ દૂઝતાં, સુર તરૂ ફલીઉ રે બાય સકલ પદારથ મુઝ ઘરિ મિં લહ્યા, થિર થઈ લછી રે નાય મનહેમનોર્થ માહારઈ જે હતો, તે ફલિઉ સહી આજ, શ્રી જિનધર્મ નિં પાસ પસાઉ લઈ, મુજ સીધાં સહી કાજ. એટલે પોતે બહેન ભાઈની જોડવાળા, સુંદર પત્નીવાળા, બાળકોના પિતા, બહોળા કુટુંબવાળા, ગાય ભેંસના દૂઝણાં જેને ઘરે હતાં એવા લક્ષ્મીવંતા રહી સુખી ગૃહસ્થાશ્રમ સેવતા હતા. તે ઉપરથી સં. ૧૬૬૬માં તેમની ઉંમર ઓછામાં ઓછી ૨૫ વર્ષની ગણીએ તો સં. ૧૬૪૧ની આસપાસ તેમનો જન્મ થયો હોવો જોઈએ. એમ સહેજે અનુમાન થઈ શકે. તેમની છેલ્લી કૃતિ સં. ૧૯૮૮ ની ‘રોહિણીઆ રાસ મળી આવે છે. ત્યાર પછી થોડાં વર્ષો પોતે વિદ્યમાન રહી પ્રૌઢાવસ્થા ધર્મક્રિયામાં ગાળી હોય તો તે સંભવિત છે. ઉક્ત કૃતિમાં વિજયાનંદસૂરિના પોતે શ્રાવક હતા એમ જણાવે છે. તે સૂરિ સં. ૧૬૭૬માં આચાર્ય પદ પામ્યા. પછી સં. ૧૭૧૧માં ખંભાતમાં જ સ્વર્ગસ્થ થયા. આ રીતે કવિ ઋષભદાસ સં. ૧૭00 સુધી વિદ્યમાન રહ્યા એમ ગણીએ તો તેમનું આયુષ્ય લગભગ ૬૦ વર્ષ પ્રાયઃ ગણાય. જ્યારે તેમનો કવન કાળ સં. ૧૬૬૬થી ૧૬૮૮ સુધીનાં ૨૨ વર્ષનો નિશ્ચિત જ છે.' શા. કુંવરજી આણંદજીએ કવિનો જન્મ સં. ૧૬૪૧માં થયો હોવાનું જણાવ્યું છે. શ્રી શિવલાલ જેસલપુરાએ એમનો જન્મ ઈ.સ. ૧૫૯૫માં (સં. ૧૬૫૧) લગભગ થયો હોવાનું
SR No.022867
Book TitleJivan Shuddhinu Ajvalu
Original Sutra AuthorN/A
AuthorRatanben K Chhadva
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
Publication Year2013
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy