SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ લડાઇ થઇ હોય તે સ્થળ રૂધિર અને માંસથી ખરડાયેલું હોય, પુધ્ધભૂમિમાં ઉગ્રવિહાર કરી સાધુએ જવું કેટલું યોગ્ય ? અહીં દોષ કે અશાતનાનો પ્રશ્ન નથી. અહીં ભગવાન મહાવીરની પ્રબુધ્ધ કરુણા સામાજિક ચેતનાના વિકાસનું પ્રેરક બળ બની એક સ્ત્રીના શીલનું રક્ષણ કરે છે. એકવાર રાજા શ્રેણિકને તેની પત્ની ચેલણા પ્રતિ શંકા ઉભી થઇ. સ્ત્રી જાતિ પ્રત્યે ની‘નફરતને કરાણે સમગ્ર અંતઃપુર અને તમામ રણીઓને આગ લગાડી ભસ્મભૂત કરવાનો આદેશ આપ્યો. વહેમના વમળમાં ફસાયેલા સમ્રાટને ભગવાને સંબોધન કર્યું શ્રેણિક, મહારાજા ચેટ્સની સાતે પુત્રીઓ સતી સ્ત્રી છે. રાણી ચેલણા પવિત્ર છે. તારો વહેમ ભયંકર અનર્થને આમંત્રણ આપી કહ્યો છે ને સમ્રાટ શાંત થયા. સંત સંસારની બળબળતી બપોરના ચંદન જેવી શીતળતા આપે છે. મહાવીર ધર્મના કણ કણમાં માનવતાનું અમૃત છલકાઇ રહ્યું છે. આમ ભગવાન મહાવીરના જીવનમાં સંસાર પ્રત્યેની નિષ્ક્રિય ઉદાસીનતા પાછળ કોલકલ્યાણ અને લોકમાંલ્યની પ્રચ્છન્ન સક્રિયતાના દર્શન થાય છે. સાંપ્રત જીવનમાં ભગવાન મહાવીરનો દ્રષ્ટિકોણ : જૈન ધર્મે માનવ જાતને સુખી, શાંત અને સમૃધ્ધ કરવા ધર્મ અને મોક્ષની ભૂમિકા સજજ બનાવવા માટે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ નામના ચાર પુરુષાર્થોની અહિંસા આધારિત સંસ્કૃતિ બતાવી. માનવ જીવનનું લક્ષ મોક્ષ જ હોવું જોઇએ. તે સાધ્યને પામવા માટે ધર્મ જ સાધના બની શકે. મોક્ષ માર્ગમાં અર્થ અને કામ લક્ષે પહોંચવા માટે અંતરાય પેદા કરે તેવા છે તે ખરું, પરંતુ વહેવારિક જીવનના તો આ બે અવિભાજય અંગો છે. પરંતુ અર્થ અને કામમાં ધર્મ અને વિવેક હોય તો તેમાનું બાધક તત્ત્વ દૂર થઇ શકશે. અર્થમાં નીતિ, નમ્રતા અને સંતોષ નામનાં ધર્મો કામમાં સદાચાર, વૈરાગ્ય અને સંતોષ નામના ધર્મો જો અભિપ્રેત હોય તો તે અર્થ અને કામને પણ પવિત્ર બનાવી દે છે. ૫૪ ભગવાન મહાવીર અને સંયમજીવન
SR No.022858
Book TitleBhagwan Mahavir Ane Sanyam Jivan
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2004
Total Pages70
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy