SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ (૧) મનગુપ્તિ ઃ મનની શુભ અને અશુભ બંને પ્રકારની ક્રિયાનો નિરોધ કરવો, શુદ્ધભાષામાં સ્થિર થવું તેને મનગુપ્તિ કહે છે. આ મનોગુપ્તિના ચાર પ્રકાર છે. સત્ય, અસત્ય, અસત્યા સત્ય. (૨) વચનગુપ્તિ : આત્મા અશુભ કર્મના આશ્રવ ન કરે તેવા વચનમાં પ્રવૃત્તિ કરવી તે 'વચનગુપ્તિ' છે. અસત્ય, કર્કશ, કઠોર, મર્મકારી, ભેદકારી, કલેશકારી, પરનિંદાકારી, આત્મપ્રશંસક વાણી અથવા વિકથા કરનારા વચનવ્યાપારનો. ત્યાગ કરવો તે વચનગુપ્તિ' છે. આ વચનગુપ્તિ પણ શાસ્ત્રકારે ચાર પ્રકારની બતાવી. છે. (૧) સત્ય, (૨) અસત્ય, (૩) સત્યાસત્ય, (૪) અસત્યાસત્ય. સાધકે વચન દ્વારા કર્મ બંધનથી અટકવા માટે, સાધના માર્ગે, એકાંતલાશે પ્રવૃત્તિ કરવા પણ વચનગુપ્તિ રાખવાનો પુરુષાર્થ કરવો જોઇએ. (૩) કાયગુપ્તિ ઃ કર્મના ગ્રહણમાં નિમિત્તભૂત શરીરની ક્રિયાઓની નિવૃત્તિને 'કાયગુણિ' કહે છે. અથવા કાય વિષયક મમત્વના ત્યાગને અથવા નિશ્ચલતાને 'કાયગુપ્તિ' કહે છે. સરંભ-સમારંભ અને આરંભમાં અર્થાત્ એ ત્રણેમાં જતાં મનવચન-કાયાને રોકી રાખવા અને એ ત્રણેને શુદ્ધ રાખવા તે “કાયગુપ્તિ' છે. ' આ રીતે સમિતિ અને ગુપ્તિનું સ્વરૂપ જોતાં સ્પષ્ટ થાય છે કે સમિતિ, વિધેયાત્મક છે, ગુપ્તિ નિષેધાત્મક છે. સમિતિ પ્રવૃત્તિપ્રધાન છે, ત્યારે ગુપ્તિ મુખ્યત્વે. નિવૃત્તિ પ્રધાન છે. તોષણ પ્રવૃત્તિ અને નિવૃત્તિ એક જ સિક્કાની બે બાજુ છે. તેથી પ્રવૃત્તિ નિવૃત્તિનો અને નિવૃત્તિમાં પ્રવૃત્તિનો અંશ હોય છે. અશુભ ભાવોથી નિવૃત્તિનો અર્થ શુભ ભાવોમાં પ્રવૃત્તિ કરવાનો થા છે, અને શુભ ભાવોમાં પ્રવૃત્તિનો અર્થ અશુભ ભાવોથી નિવૃત્તિનો થાય છે. સંક્ષેપમાં, પાંચ સમિતિ એ ચારિત્રની પ્રવૃત્તિ માટે છે અને ત્રણ ગુપ્તિ બધા જ અશુભ વિષયોની નિવૃત્તિ માટે છે. પાંચ સમિતિ અને ત્રણગુણિરૂપ અષ્ટ પ્રવચન માતાનું પાલન કરનાર, સાધકની ચારિત્ર શુદધિ થાય છે અને તે સાધક દોષમુક્ત-કર્મમુક્ત થાય છે, સ્વ-પરનું કલ્યાણ કરી શકે છે તેથી સાધુઓના આચારનું પ્રથમ અને અનિવાર્ય અંગ અષ્ટપ્રવચનમાતા છે. " મન ગુપ્તિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી ચાર-ચાર ભેદ છે. (૪૯) ૪૯ ભગવાન મહાવીર અને સંયમજીવન )
SR No.022858
Book TitleBhagwan Mahavir Ane Sanyam Jivan
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2004
Total Pages70
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy