SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ (૧) ઔધિક :- જે સદા ઉપયોગમાં આવે તે ઘ.ત. મુહપતિ, રજોહરણ આદિ. અથવા જે વસ્તુ લઇ તેનો ઉપયોગ કર્યા પછી દાતાને પાછી આપવા યોગ્ય હોય તેવી પાઠિયારી વસ્તુઓ-પાટ-પાટલા આદિ અથવા લેખણ, પાનાં, પુસ્તક, શાસ્ત્ર, પાણી ગળવાનું ગળણું. .. (૨) ઉપગ્રહિક શાસ્ત્રની વિધિ અનુસાર વસ્તુઓને ગ્રહણ કર્યા પછી, દાતાને પાછી આપવાની ન હોય તેવી અણઆગારી પોતાનો હક્ક કરીને લેવાની વસ્તુઓ જેમ કે વસ્ત્ર, પાત્રા વગેરે. (4) પારિષ્ઠોપનિકા સમિતિ ઃ ઉચ્ચારપાસવેણ ખેલ સધ પ્રકારે વસ્તુઓને નાખી દેવી, નાખી દીધા પછી ફરીથી ગ્રહણ ન કરવી તે પારિષ્ઠાપનિકા સમિતિ છે. ત્યાગવા યોગ્ય મળ-મૂત્ર, કફ, નાકનો મેલ, નિરૂપયોગી બનેલ પાત્ર તથા દોષ આદિના કારણે પરિષ્ઠાપન યોગ્ય બનેલ ભક્તપાન વગેરે વસ્તુઓનો અચિત્તસ્થાન ઉપર તેમજ ઉચિતસ્થાન ઉપર તયનાપૂર્વક કરાતા ત્યાગને પરિષ્ઠાપનિકા સમિતિ કહે છે. એનું બીજું નામ ઉત્સર્ગ સમિતિ છે. ઉત્સર્ગ એટલે ત્યાગ-સદાને માટે ત્યાગ. (૦) - પરઠવવાની એ ક્રિયા માટે ઉત્તરાધ્યયન સૂત્રમાં ૧૦ બોલ જોઇને પરઠવવાની આજ્ઞા આપી છે, તે આ મુજબ છે. (૮) જલસિંધાણ પરિઠાવણિયા સમિતિ :- અથવા (૧) કોઇ મનુષ્ય આવતો પણ નથી અને જોતો પણ નથી. કોઇ મનુષ્ય આવતો તો નથી પણ દૂરથી જુએ તો છે. (૨) (૩) કોઇ મનુષ્ય આવે છે પણ દેખતો નથી. (૪) કોઇ મનુષ્ય આવે પણ છે અને દેખે પણ છે. (૫) પરઠવવાનું સ્થાન પોતાને કે અન્યને ધાત કે દુઃખ ઉપજાવે તેવું ન હોય અર્થાત્ સ્વ-પરની ધાત કે દુઃખ થાય એ રીતે ન પરઠવે. (૬) પરઠવાની ભૂમિ ઊંચીનીચી નહીં પણ સમ હોય ત્યાં પરઠવું. તૃણ-પાંદડાદિકથી રહિત ભૂમિ હોય ત્યાં જ પરઠવું. અગ્નિ પ્રમુખ વડે થોડા કાળથી અચેત થયેલ ભૂમિ હોય તેવા સ્થાને પરઠવે તે પણ હેઠે તો ધણી ઊંડી અચેત થયેલ હોય. ૪૭ ભગવાન મહાવીર અને સંયમજીવન
SR No.022858
Book TitleBhagwan Mahavir Ane Sanyam Jivan
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2004
Total Pages70
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy