SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ કેટલાક સ સાધુઓ સર્વથા મીનથી જીવી નથી શકતા, એમને અનેક કારણોસર તથા કેટલાક પ્રસંગો ઉપસ્થિત થતા બોલવું પડે છે તેથી મુનિ જીવનમાં ભાષા અપરિહાર્ય સર્વથા છે. સાધુઓને સૂત્રની વાંચણી આપતા, તેની વ્યાખ્યા કરતા શિકાઓ વ્યક્ત કરી, તેનું સમાધાન પ્રાપ્ત કરવા, પૂછેલા પ્રશ્નોના ઉત્તર આપવા માટે ઉપદેશ આપવા, માર્ગ વિશે પૂછતા તથા કપ્ય-અકથ્યનો નિર્ણય કરવા માટે પ્રત્યાખ્યાના કરાવતી વખતે, હિતશિક્ષાદિ ક્રિયા કરતી વખતે, શાતાદિ પૂછવા માટે વગેરે પ્રસંગોએ બોલવું પડે છે. ભાષાસમિતિની શુદ્ધિ માટે, ઉતરાધ્યયન અધ્યયન ૨૪મા, સાધુઓને આઠ બોલ ત્યાગવાનું કહ્યું છે. ક્રોધ, માન, માયા, લોભ, હાસ્ય, ભય, મૌખર્ય, વિસ્થા આ આઠ દોષોને સાધુઓએ બોલતી વખતે ત્યજી દેવા જોઇએ એનો સંપર્ક ન થાય તેનો વિવેક રાખવો તે જ ભાષા સમિતિની શુદધિ છે. - સાધુ ભગવંતે પાપની અનુમોદના કરવાવાળી, સંદિગ્ધ, “એ આમજ છે' એ પ્રકારની નિશ્વયકરી તથા બીજા જીવોની હિંસા કરનારી ભાષાને ક્રોધ, લોભ, ભય, માન અને હાસ્યવશ ન બોલે જે ભાષા મધુર હોય, હિતકારી હોય, પરિમિત હોય ગર્વરહિત હોય, અતુચ્છ હોય, શુદ્ધમતિથી વિચારીને બોલાઇ હોય, જે ધર્મયુક્ત હોય ભાષા સંતોએ બોલવી જોઇએ એ જ એમની ભાષા સમિતિ છે. આચારાંગસૂત્રમાં દર્શાવ્યું છે કે સાધુએ અતિ ઉતાવળથી ન બોલવું જોઇએ, કારણ કે વિચાર્યા વિના બોલવાથી, ધણાં અનિષ્ઠો ઊભા થવાની શક્યતા છે. તેઓએ વિચારીને એકાંત નિરવંધ-પાપરહિત વચન બોલવું જોઇએ વિવેકપૂર્વક વિચારીને બોલવું જોઇએ. આ રીતે સાધુ ભાષા સમિતિ સહિત ભાષાને બોલે ઠાણાંગ સૂત્રમાં દર્શાવ્યા મુજબની સત્યભાષા સાધુ બોલે. દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી ભાષાસમિતિનું સ્વરૂપ :દ્રવ્યથી - કર્કશ, કઠોર, છેદકારી, ભેદકારી, હિંસાકારી, પીડાકારી પાપંકારી, ક્રોધ, માન, માયા, લાભ યુક્ત-વિકશાયુક્ત ભાષા ન બોલવી. ભગવાન મહાવીર અને સંયમજીવન )
SR No.022858
Book TitleBhagwan Mahavir Ane Sanyam Jivan
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2004
Total Pages70
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy