SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ (૨) આત્યંતર તપ - આ તપ પ્રાયઃ અંતઃકરણના વ્યાપારરૂપ છે. આ તપમાં બાહ્યદ્રવ્યોની અપેક્ષા હોતી નથી. આ તપ લોકો દ્વારા દ્રષ્ટિગોચર હોતો નથી - એટલે કે લોકોની નજરમાં આવતો નથી. પ્રશસ્ત ચિંતન-મનના અને અનુશીલન દ્વારા મનને એકાગ્ર, શુદ્ધ અને નિર્મલ બનાવવું તે આત્યંતર તપનો મુખ્ય ઉદ્દેશ છે. આ આત્યંતર તપ વિશિષ્ટ વ્યક્તિઓ દ્વારા જ તપના રૂપમાં સ્વીકૃત થાય છે. એના વિના કર્મની નિર્જરા થતી નથી, મુક્તિનું અંતરંગ કારણ આ તપ છે. બાહ્યતપ એ સ્વયં આત્મશુદ્ધિનો હેતુ નથી તેમજ બંધનમુક્તિનું કારણ પણ નથી. બાહ્યતપ, આત્યંતર તપ માટેની સરસ ભૂમિકા પૂર પાડે છે - આત્મશુદ્ધિનું પરંપરાએ કારણ બને છે. આત્યંતર તપ વિના એકલા બાહ્યતપને જૈનદર્શન વિશેષ લાભકારી ગણાવેલ નથી. આત્યંતર તપપ્રધાન છે. ગુણસ્થાનકની ભૂમિકા મુજબ જોઈએ તો બાહ્યતા પહેલા અને ત્રીજા ગુણસ્થાનકે હોય છે - ત્યારે આત્યંતર તપની શરૂઆત ચોથા ગુણસ્થાનકથી થાય છે અને તેની પૂર્ણાહુતિ ચૌદમા ગુણસ્થાનકે થાય છે. તેથી એમ જરૂર કહી શકાય કે બાહ્યતપથી આત્યંતર તપ ચડિયાતો છે. આત્યંતર તપને નજીક કરી આપનાર અથવા આત્યંતર તપમાં પ્રવેશવાનો માર્ગ મોકળો કરી આપનાર હોવાથી એને બાહ્યતપ ગણેલ છે. ઉપરાંત, બાહ્યત: બાલજીવોને સુસાધ્ય હોવાથી તેઓ તેમાં પ્રગતિ કરી શકે છે અને વિશેષ પ્રગતિ કરતાં આવ્યંતર તપની પણ સાધના કરવા લાગે છે. આત્યંતર તપ વિના બાહ્યતપ પૂર્ણકર્મનિર્જરા કરવામાં અસમર્થ છે. આત્યંતર તપની પ્રરૂપણા કરી ભગવાન મહાવીરે પરંપરાગત તપનો આંતર શુધ્ધિનો ઉપાયરૂપે વિસ્તાર કર્યો છે. તપસાધના માત્ર એક મનુષ્યગતિમાં જ સંભવિત છે. નરક તેમજ દેવગતિમાં ઔદારિક શરીરનો ઉદય તથા પંચમહાવ્રતરૂપ સંયમ નથી. તિર્યંચગતિમાં, પંચમહાવ્રતનું પાલન અસંભવ છે. તેથી માનવભવમા નિત્ય આચરણ કરવું શ્રેયસ્કર છે. બાહ્ય અને આત્યંતર એમ બંને પ્રકારના વિશુદ્ધ તપથી બહિરાત્મા-અંતરાત્મા બને છે અને અંતરાત્મા વિકાસ પામીને પરમાત્મા બને છે. બાર પ્રકારના તપ આત્મવિકાસના આરોહણ માટેનાં ઉત્તમ સોપાનો છે. માનવજીવન કે મુનિજીવનને ધન્ય બનાવવા તપ એ આત્મવિકાસ માટે ઉત્તમ સહાયક છે. અનશન-ઉણોદરી, ભિક્ષાચરી આહારત્યાગ, રસ-પરિત્યાગથી સંજ્ઞા ((૭) શિ૭. ભગવાન મહાવીર અો સંયમજીવ
SR No.022858
Book TitleBhagwan Mahavir Ane Sanyam Jivan
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2004
Total Pages70
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy