SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ તપના પ્રકાર : તપ આત્મશોધન અને કર્મક્ષયની એક અખંડ પ્રક્રિયા છે, પરંતુ સ્વરૂપ અને સામગ્રીના આધાર પર અથવા સાધનનો ભેદ દર્શાવવા તપના મુખ્ય બે ભેદ પાડવામાં આવેલ છે. (૧) બાહ્યતપ, (૨) આત્યંતર તપ. ઉપરાંત, આ દરેકના છ પેટાપ્રકાર છે. બંને મળીને તપના કુલ ૧૨ ભેદ વર્ણવામાં આવેલ છે. | * ‘તપાચાર બાર ભેદ', છ બાહ્ય, છ આત્યંતર, શરીરને લગતા હોવાથી અનશન આદિ છ પ્રકારના બાહ્યતપ છે અને આત્માને સીધા સ્પર્શે તેવા પ્રાયશ્ચિત્ત આદિ છ આત્યંતર તપ (૧) બાહ્ય તપ - સર્વસાધારણ જનસમાજમાં જે તપના નામથી ઓળખાય છે, અથવા બીજાને જે પ્રત્યક્ષ દેખાય છે, જેનો સીધો પ્રભાવ શરીર પર પડે છે, જે મોક્ષનું બહિરંગ કારણ છે-સાધન છે તેને બાહ્યતમ કહે છે. ‘સર્વાર્થ સિદ્ધિમાં” પૂજયપાદસ્વામી દર્શાવે છે. બાહ્યદ્રવ્યના આલંબનથી બીજાને જોવામાં આવતા તપને બાહ્યતપ કહેવાય છે. બાહ્યતપ આવ્યંતર શુદ્ધિનું નિમિત્ત છે. આ તપથી મનની વિશુદ્ધિ, સરલતા અને એકાગ્રતાની સાધના થાય છે. આત્યંતર તપમાં પ્રગતિ કરવા માટે બાહ્યતપ સીડીનું કામ કરે છે. આત્યંતર તપની સિદ્ધિ માટે દ્રઢ આધાર અને પ્રશસ્તભૂમિકા તૈયાર કરવામાં બાહ્યતાનું મહત્વપૂર્ણ સ્થાન છે. ધર્મ આરાધના માટેનું પ્રધાન સાધના શરીર છે, એવુ વીતરાગી ઉત્તમ આત્માઓએ દર્શાવ્યું છે. શરીર પર આવતાં કષ્ટો મહાન ફળ આપે છે. ઢઢણમુનિ, ધન્ના અણગાર, ચંપાશ્રાવિકા આદિના બાહ્ય તપની જ્ઞાનીઓએ મુક્ત કંઠે પ્રશંસા કરી છે. એટલું જ નહીં, પર્વ દિવસોની ઉજવણી માટે પણ શાસ્ત્રકારોએ બાહ્યતાની જ હિમાયત કરી છે. ઓળીમાં આયંબિલ, પર્યુષણમાં છટ્ટ-અટ્ટમ-અઠ્ઠાઇ વગેરે, જ્ઞાનપંચમીનો ઉપવાસ દિવાળીના છઠ્ઠ, મૌન એકાદશીનો ઉપવાસ, પફખીનો ઉપવાસ. વિપ્નનાશ માટે પણ તપ. ૨પ ભગવાન મહાવીર અને સંયમજીવન
SR No.022858
Book TitleBhagwan Mahavir Ane Sanyam Jivan
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2004
Total Pages70
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy