SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ રજૂઆતોમાંથી આપણે બધામાં) મોટા દેવ એવા ઈન્દ્રની કિંમત શી રીતે આંકી શકીએ. તે માત્ર તબેલામાંથી બહાર આવેલા) મોટી ફલાંગો ભરીને ચાલતા અશ્વ સમાન છે કે જેને જૈનો તેમના પોતાના સિદ્ધાંતો સાથે બંધબેસતો બનાવે છે. જો તેને તેનું વિશેષણોનું મોટું પૂંછડું હોય તો તે માત્ર વધારા (વિસ્તાર)ની ગરજ સારે છે (એમ કહી શકાય) અથવા અન્ય કઈ રીતે તેના વર્તનને ન્યાય આપી શકાય ? આ પાર્શ્વભૂમિકા સાથે મહાવીરના જીવનમાં તેમની શિશુ અવસ્થામાં બનેલી હોય એમ ધારવામાં આવતી ઘટનાઓને સમજવા માટે આપણે પ્રયત્ન કરવો જોઈએ. (1) મેરુ (પર્વત)ને હલાવવો (2) રમતો - સર્પ (કે જે રાક્ષસ હતો) ને મારવો (8) અધ્યયન (4) નામનું વાજબીપણું બતાવવું. , વર્ધમાન અને મહાવીર બધા જ કિસ્સામાં આ મહાન વ્યક્તિ પોતાના નામ કે જેનાથી તે અત્યંત જાણીતા હતા તે અંગેની ખૂબ જ લાયકાત ધરાવતા હતા. વર્ધમાન મહાવીરના કિસ્સામાં અગાઉના જીવનચરિત્રકારો એક્સરખી માનસિક તાણ સાથે વિચારણામાં મદદ કરી શકે તેમ ન હતા. આવું જ બુદ્ધની બાબતમાં પણ બન્યું છે. તેઓ પણ તેમના નામ સિદ્ધાર્થ (એટલે કે સિદ્ધાર્થ) અંગે પૂર્ણ યોગ્યતા ધરાવતા હતા અને તેથી (નામના) અર્થનો હેતુ આ રીતે પૂર્ણ થતો હતો. અથવા કદાચ એ તદ્દન શક્ય હતું કે એ યુગમાં લોકો પોતાના પુત્રો કે પુત્રીઓનાં નામ તેમના પોતાના ગુણો મુજબ પાડવાનું વલણ ધરાવતા હતા. તત્કાલીન સાહિત્યમાંથી આપણને આવાં ઉદાહરણો પ્રાપ્ત થાય છે જેમકે આમ્રપાલિ, કિસા ગોતમી વગેરે અને આવાં અનેક વધુ દષ્ટાંતો મળી શકે. અને તેથી જ આપણે એ માનવા માટે દોરાયા છીએ કે અગાઉના - ૫૨ -
SR No.022851
Book TitleMahavir Charitra
Original Sutra AuthorN/A
AuthorNiranjan U Trivedi
PublisherSadguna Niranjan Trivedi
Publication Year2010
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy