SearchBrowseAboutContactDonate
Page Preview
Page 441
Loading...
Download File
Download File
Page Text
________________ અત્યંત રસપ્રદ વાંચન તે પૂરું પાડે છે. આ પ્રસંગકથાઓનો ખ્યાલ આપવા માટે મેં આવી પાંચ પ્રસંગકથાઓ પસંદ કરીને પરિશિષ્ટમાં મૂકી છે. મહાવીર પ્રેમાળ ગુરુ હતા, તેઓ હંમેશાં શિષ્યોને મદદરૂપ થવા માટે આતુર રહેતા. તેઓ લગાતાર કામ કરતા અને ઉપદેશ આપતા. ચોમાસાના ચાર મહિના સિવાય તેઓ આખા વર્ષ દરમિયાન આમ કરતા હતા અને ચોમાસાના ચાર મહિના માટે તેઓ શાંત-એકાંત સ્થળે વાસ કરતા હતા, કે જ્યાં મનુષ્યોની અવરજવર ન હોય. દયાળું મનુષ્ય હોવાને કારણે આ જગતની બેડીઓ તોડવામાં તેઓ અનેકોને મદદ કરતા. સહજ રીતે તેમણે ઘણી મોટી સંખ્યામાં ધર્મપરિવર્તનો કરાવ્યાં હતાં જે તેમને માટે ગૌરવરૂપ હતું. પરંતુ એ નોંધવું જોઈએ કે તેમણે આ બધાં જ ધર્મ પરિવર્તનો દરમિયાન ચમત્કારોનો આશ્રય લીધો ન હતો. દુન્યવી લાભો માટે તેમણે દરકાર કરી ન હતી. જો તેમણે કંઈ દરકાર કરી હોય તો તે શ્રેષ્ઠ, ચડિયાતા અને ઉન્નત જીવન બનાવવાનો બીજા જગતનો લાભ મેળવવાની હતી. આવાં ઘર્મપરિવર્તનો વિવિધ જૂથો માટે કરાવવામાં આવ્યાં હતાં અને તેમનું નીચે મુજબ વર્ગીકરણ કરવામાં આવ્યું હતું ? (A) મહાવીરે પોતે કરાવેલાં ધર્મપરિવર્તનો (B) તેમના શિષ્યોએ કરાવેલાં ધર્મપરિવર્તનો આવાં જૂથો નીચે આપ્યાં છે : (1) તેઓ કે જેમણે મહાવીરના ઉપદેશથી સંતુષ્ટ થઈને ગૃહવિહીન જીવન સ્વીકાર્યું હતું. આરામ અને વૈભવના એશઆરામી જીવનથી થાકી ગયા હોય તેવા સગાંવહાલાં અને મિત્રો તરફથી મહેણાં મારવામાં આવ્યાં હોય તેના પરિણામે મહાવીરની ખ્યાતિ અને ભવ્યતાને લીધે ધર્મપરિવર્તન કર્યું હોય તેવા (5) યુદ્ધની થકાવટના કારણે (6) જેમણે રાજકીય પરિસ્થિતિમાંથી છટકી જવા માટે સંસારત્યાગ કર્યો હોય તેવા (દા.ત. મૃગાવતી) - ૪૧૮ -
SR No.022851
Book TitleMahavir Charitra
Original Sutra AuthorN/A
AuthorNiranjan U Trivedi
PublisherSadguna Niranjan Trivedi
Publication Year2010
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy