SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ તે સ્વાભાવિક અને અપેક્ષિત એવી ઉપરોક્ત બાબતમાં પરિણમે છે. દસ પારમિતાઓ છે. આ દસેય પારમિતાઓ “બોધિ કારકધમ્મા' અર્થાત્ બુદ્ધત્વની પરિસ્થિતિઓ તરીકે ઓળખાય છે. તે આ પ્રમાણે છે. (1) દાન (2) શીલ (8) સદાચાર (4) ત્યાગ (5) આસ્થા (6) મૈત્રી () ઉપેક્ષા (મધ્યસ્થની તિતિક્ષા) (8) સહનશીલતા (9) વીર્ય (10) ઉપદેશ or જ્ઞાન or બોધ. સખાવત દાન (charity - બાર્નેટ તેમનો મુખ્ય સંપ્રદાયો સ્વરૂપે નિર્દેશ કરે છે.) શીલ-સદાચાર, નેકસ્મા-ત્યાગ, એડિત્થાના નિશ્ચય, સક્કા (પ્રથ), મેરા-મૈત્રી-ઉપેક્ઝા, ઉપેક્કા-અનાસ્થા-ઉપેક્ષા, ખાન્તિ સહનશીલતા, વીર્ય (શક્તિ) અને પન્ના-બોધ. આ દસેય પારમિતાઓ પર એક પછી એક પ્રભુત્વ મેળવ્યા પછી જ માત્ર બુદ્ધત્વ - અર્થાત્ સર્વજ્ઞતા પ્રાપ્ત થાય છે. ખુલ્ક નિકાય'ના પંદર ગ્રંથો પૈકીનો એક એવો “ચરિયાપિટક નામનો ગ્રંથ સિદ્ધાર્થે કેવી રીતે આ દસ પારમિતાઓ ઉપર પ્રભુત્વ મેળવ્યું તે વર્ણવે છે. વિદ્વાન અભ્યાસીએ તેનો નીચે મુજબ સારાંશ આપ્યો છે. (વરિયાપિટ6-P-252-258) ઃ તેથી દરેક પગથિયામાં પારમિતાઓના) પૂર્ણતા પ્રાપ્ત કરનાર અને બુદ્ધત્વ પ્રાપ્ત કરવાનું અગાઉથી ઠરાવેલ એવા મનુષ્યો યુગોના કરોડો વર્ષોને અંતે દીર્ઘ પથને પાર કરી જાય છે. ટુ-P-54-259 : મેં જ્યારે કોઈને આહારની શોધમાં આવતો જોયો મેં મારી જાત તેની સામે ધરી. આવું અર્પણ કરનાર મારા જેવું કોઈ જ નહિ હોય અને આ જ દાન આપવા માટેની પૂર્ણતા છે. 260 : વળી જ્યારે મને અણિયાળો સળિયો ભોંકવામાં આવ્યો અને બરછી મારવામાં આવી ત્યારે પણ ભોજના પુત્રો ઉપર હું ગુસ્સે થયો નહોતો. આવી મારી ક્ષમા અંગેની પૂર્ણતા હતી. 261 : મારી સત્તામાં જે સામ્રાજ્ય હતું તેને મેં ઘૂંકની જેમ ફગાવી દીધું અને આ ત્યાગ પછી મેં તેની કોઈ જ દરકાર ન કરી. આવી મારી ત્યાગની પરાકાષ્ઠા હતી. 262 : બુદ્ધિપૂર્વક વસ્તુની ખોજ કરવી, દુ:ખ રહિત બ્રાહ્મણ, ડહાપણમાં મારા જેવું કોઈ નથી. આવી મારી ડહાપણ જ્ઞાનની પરાકાષ્ઠા હતી. - ૧૩ -
SR No.022851
Book TitleMahavir Charitra
Original Sutra AuthorN/A
AuthorNiranjan U Trivedi
PublisherSadguna Niranjan Trivedi
Publication Year2010
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy