SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ જીવનચરિત્રકારો સિદ્ધાર્થે જે ખોટું કર્યું હતું તે અંગે ઇન્દ્રની મદદ માટે પ્રાર્થના કરે છે. આ ક્ષણ સુધી અદૃશ્ય હતો એવા સિદ્ધાર્થ વ્યંતર જે ક્યાં રહેતો હતો તે કોઈ જાણતું ન હતું તે આકાશમાં થતા વીજીળીના ચમકારાની જેમ તે ક્ષણે પ્રગટ થયો અને તે યક્ષનો દોષ કાઢવા માંડ્યો અને તેને ચેતવણી આપવા માંડ્યો. છેવટે દિનાન્તે મહાવીરે દસ સ્વપ્નો જોયાં. તેમનું ‘ઉત્પત્ત’ એ અર્થઘટન કર્યું. સ્વપ્નોને વર્ણવવા માટે તેમના પોતાના પ્રાવીણ્યનો પણ સંદર્ભ આપવામાં આવે છે, પરંતુ પોતે પોતાનાં સ્વપ્નોનું અર્થઘટન કરી શકે નહીં. ઈ.સ. પૂર્વેની પાંચમી સદીના આ લોકો માટે સ્વપ્નોનું વિજ્ઞાન એ બંધ થયેલું પ્રકરણ ન હતું. સ્વપ્નો નીચે મુજબ હતાં. આ સ્વપ્નો તેમનું પોતાનું ગૌરવ દર્શાવે છે. આ ઘટનામાંથી સ્પષ્ટ રીતે જણાતા અને નોખા તરી આવતા મુદ્દાઓ આ પ્રમાણે છે. (1) પ્રથમ તો આત્માની તાકાત શ્રેષ્ઠ શક્તિશાળી છે અને તે પાશવી બળોની સામે હંમેશાં વિજયી બને છે. (2) મહાવીર પાસે આવી અતુલનીય તાકાત હતી. (3) સિદ્ધાર્થ વ્યંતર એ માત્ર ગાડા નીચેનો કૂતરો જ હતો કે જેની પાસે મહાવીરનું રક્ષણ કરવાની તેની પોતાની કોઈ શક્તિ કે ક્ષમતા ન હતી. (4) મહાવીર એમાંના એક હતા કે જેમના માટે ‘ભય’ એવો શબ્દ અદૃશ્ય હતો. તેઓ સાચી રીતે જ ‘ગતોભય’ હતા અર્થાત્ એવી વ્યક્તિ કે જેને ક્યાંયથી ભય નથી. (5) સ્વપ્નોના વિજ્ઞાનમાં તેમનું (મહાવીરનું) પ્રાવીણ્ય. (6) લોકોના રક્ષણ માટે અને વ્યક્તિને જ્ઞાન આપવા માટે, જો તે યક્ષ હોય તો પણ તેને માટે તેમના પોતાના જીવનને જોખમમાં મૂકવા અંગે પણ તેઓ આનાકાની કરતા ન હતા. અંતિમ મુદ્દો એ છે કે આ મહાન વ્યક્તિના જીવનનું મૂલ્ય આંકવાની ~ to •
SR No.022851
Book TitleMahavir Charitra
Original Sutra AuthorN/A
AuthorNiranjan U Trivedi
PublisherSadguna Niranjan Trivedi
Publication Year2010
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy