SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મ પરીક્ષાને રાસ. (૩૦૯) પછી મને ઘરનો ભાર સોંપીને પિોતે દેરામાં જઈ કાઉસગ્ગ ધ્યાને રહ્યા, ત્યાર પછી રાજાએ ચોરની પાસે જનારની તપાસ રાખવાને જે છાના માણસો મૂક્યા હતા, તેઓએ રાજા પાસે જઈ સઘળી બનેલી વાત કહી સંભળાવી બા પછી રાજાએ ગુસ્સે થઈ માણસને કહ્યું કે, તે શેઠને ઘેર જઈ તેના ઘરને સીલ આપ (જસ કરે) અને તે શેઠને મારી નાખે, તે સાંભળી ચાકરે તેમ કરવાને દેડ્યા, પણ તે વખતે તેજ દેવે (ચોરના જીવે) અવધિ જ્ઞાનથી તે સઘળી વાત જાણે છે ૮ તેણે વિચાર્યું કે, આ શેઠ તે સર્વને ઉપકાર કરવાવાળે છે, વળી એણે મને નરકમાં પડતો બચાવ્યું છે, તો શું એ લેકો મારા ગુરૂને પીડા કરી શકશે? એમ વિચારિ તે શેઠને ઘેર જઈ હાથમાં લાકડી લઈ બારણા પાસે ચેક કરવા બેઠો [ ૯ છે એટલે જણ રાજના આવ્યા, હાંકયા પેસણ માંહિં નવ પાવ્યા; રેસ કરી હણવા તે સંડયા, દેવે નિજ દંડ તે ગુડચા છે ૧૦ છે પછી પે મૂક્યો કોટવાલ, તેહને પણ સુરે દેઈ ગાલ; દડે હણીને વળી તે પાડ્યો, ભૂપ સુણીને અતિ ઘણું ગાયો ૧૧ પોતે બેલ વાહન લેઈ ચાલ્યો, જવ નજરે તે દેવે નિહાલ્યો; મારી હક કટક સવી ત્રા, પ્રાણ લઈને રાજા નાઠે છે ૧૨ છે એટલામાં ત્યાં રાજાનાં માણસે આવી પહોંચ્યા, પણ તેને તે દેવે અંદર પેસતાં અટકાવ્યા, ત્યારે તેઓ ગુસ્સે થઈ તેને મારવા દોડ્યા, જેથી તે દેવે તેઓને લાકડીથી ખૂબ માર્યા છે ૧૦ છે પછી રાજાએ કેટવાલને મેકબે, તેને પણ તે દેવે ગાળ દેને લાકડીઓથી ખૂબ મારી તેને નાદ ઉતાર્યો. તે વાતની રાજાને ખબર પડવાથી તે બહુજ ગુસ્સે થયે છે ૧૧ છે પછી રાજા પોતે લશ્કર લઈને આવ્યું, પણ દેવે તે લશ્કરને જોતાં જ એવી હાંક મારી કે, સઘળું લશ્કર ત્રાસ પામી ગયું, અને રાજા પોતે પણ જીવ લઈને ત્યાંથી નાઠે છે ૧૨ છે. એકલે સકલ નગર એમ છત્યુ, અતિસાગર મંત્રિસરે ચિંત્યું; માણસ રૂપ નહીં સુણ ભૂપ, એ દીસે દેવ સરૂપ છે ૧૩ છે ધૂપ ક્ષેપ બલ બાકુલ દીધે, વિનતિ કરીને પરગટ કી કે અપરાધ કર્યો તુજ સ્વામિ, ભાંખો નામ ક૬ મીર નામિ ૧૪ અવિવેક એ રાજા તાહારે, સજ્જન શિરેમ ધર્મગુરૂ માહારે; જિનદત શેઠને નિરાપરાધ, કરવા માંડી અતિ આબાધ છે ૧૫ છે એવી રીતે તે દેવે એકલાએ આખા નગરને જીતી લીધું; તે જોઈ મતિસાગર મંત્રિ રાજાને કહેવા લાગ્યું કે, હે રાજા, આ કંઈ માણસ ન હય, એતો કે દેવતા લાગે છે કે ૧૩ પછી રાજાએ તેને ધૂપ, વાસ તથા બળ બાકળ દઈ શાંત કરી, પૂછયું કે, હે સ્વામિ તમારે તેણે ગુન્હ કર્યો છે? હું તમને મસ્તક નમાવીને કહું છું કે, તેનું નામ તમે કહે છે ૧૪ છે ત્યારે દેવે કહ્યું કે, હે રાજા તે ઉત્તમ પુરૂષોમાં શિરોમણિ સમાન મારા ધર્મગુરૂ જિનદત્ત શેઠને વગર વાંકે દુઃખ દેવા માંડ્યું, એ તે બહુ અવિવેક (અઘટીત) કર્યા છે ! ૧૫ છે
SR No.022839
Book TitleDharm Parikshano Ras
Original Sutra AuthorN/A
AuthorNemvijay, Chamanlal Sankalchand Marfatiya
PublisherChamanlal Sankalchand Marfatiya
Publication Year1897
Total Pages380
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy