SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ સીતા... ભાગ-૨ ૭૨ .........મ-લક્ષ્મણન જ તેણે પોતાનું મુખ પહોળું કર્યું અને ઉતાવળી તે મુનિપુંગવો તરફ દોડી. ‘ઉતાવળે દોડી આવવું’ એ વસ્તુ મિત્ર અને શત્રુ એ ઉભય માટે સરખી છે, એનો ખ્યાલ આપતાં કલિકાળસર્વજ્ઞ શ્રી ભગવાન્ હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે કે, ‘‘દૂરાજથાનમન્તુભ્યો, ઉદ્ઘતાં સુદ્ધ¢ામવિ ’’ “દૂરથી આગમન દુશ્મનો અને મિત્રોનું પણ સરખું હોય છે.” કારણકે મિત્રો જેમ મળવા માટે ઉતાવળે આવે છે, તેમ દુશ્મનો મારવા માટે ઉતાવળે આવે છે, એટલે દૂરથી ઉતાવળે આવવામાં મિત્રો અને શત્રુઓ બંનેય એક સરખા જ હોય છે, કારણકે એકમાં ઉતાવળે આવવાનું કારણ રાગ હોય છે, જ્યારે બીજામાં દ્વેષ હોય છે. આથી એ પણ સ્પષ્ટ થાય છે કે વાઘણ પૂર્વભવના વૈરવાળી એટલે કે વૈરવૃત્તિના યોગે જ આવા મહામુનિઓના દર્શનની સાથે જ તેના અંતરમાં એકદમ દ્વેષની આગ સળગી ઉઠે છે અને દ્વેષની આગના યોગે તે એકદમ એ બંનેય મહામુનિઓ તરફ મુખ ફાડીને ઉતાવળે દોડી આવી. આ સ્થિતિમાં પણ એટલે કે, आपतन्त्यामपि व्याघ्यां, तौ क्षमाश्रमणोत्तमौ । ધર્મથ્થાનું પ્રવેટ્ટાનો, વાયોત્સર્ગોળ તત્ત્વતુઃ શ્ વાઘણ એકદમ આપણી ઉપર પડવાને જ આવી રહી છે, એમ જાણવા છતાં પણ ક્ષમાશ્રમણોમાં ઉત્તમ એવા તે બંનેય રાજર્ષિ મહામુનિઓ કાર્યોત્સર્ગ કરીને ઉભા રહ્યા. 30_ વિચારો કે આ કેવી અને કેટલી ધીરતા ? આવી અને આટલી ધીરતા તે જ આત્માઓ રાખી શકે છે કે જે આત્માઓ કેવળ મુક્તિરમણીના જ રસિયા હોય. અન્ય પદાર્થોમાં આસક્ત અને એ આસક્તિના યોગે અન્ય આરાધનામાં જ ઉદ્યમશીલ આત્માઓ આવે સમયે આવી ધીરતા કદી જ ધરી નથી શકતા. અનંત ઉપકારી સંયમધર મહર્ષિઓ માટે પણ પરિષહોને સહન કરવાની અને બારે પ્રકારના તપની આરાધનામાં જ રક્ત રહેવાની જે વિધિ બાંધી છે, તેનો હેતુ પણ એ જ છે કે આવા સમયે પણ તે આત્માઓ ધૈર્યશીલ રહે. અનંત ઉપકારીઓએ વિહિત કરેલા એ વિધાનનું જો યથાસ્થિત
SR No.022829
Book TitleJain Ramayan Part 02
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri, Shreyansprabhsuri
PublisherSmrutimandir Prakashan
Publication Year2011
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy