SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ -)cD. ૪૬ શ રામ-લક્ષ્મણને મોહનું કારમું સ્વરૂપ આપણે જોઈ ગયા કે મહારાજા શ્રી કીર્તિધર, એક પ્રભુ શાસનના પરમ અનુયાયીને છાજે તે રીતે, પુત્રના મોહમાં એક લેશ પણ મૂંઝાયા વિના, પોતાના નાના પણ બાળકને રાજ્ય ઉપર સ્થાપન કરીને, પોતે આચાર્ય ભગવાન્ શ્રી વિજયસેનસૂરિજી મહારાજા પાસે દીક્ષા અંગીકાર કરી અને દીક્ષા અંગીકાર કર્યા પછી તીવ્ર તપને તપતા અને પરિષહોને સહન કરતા તે મહર્ષિ પોતાના ગુરુની અનુજ્ઞાથી એકાકી વિહાર કરવાની યોગ્યતા પ્રાપ્ત કરી શક્યા. એ યોગ્યતાના પ્રભાવે કર્મક્ષય માટે શૂર બનેલા તે રાજર્ષિ, એકાકી વિહાર કરતા માસક્ષમણના પારણાની ઈચ્છાથી એક દિવસે સાકેત નગર કે જ્યાંના પોતે રાજા હતા, તે નગરમાં પધાર્યા અને ભિક્ષા માટે મધ્યાહ્નકાળે તે રાજર્ષિ નગરમાં ભ્રમણ કરવા લાગ્યા. ભિક્ષા માટે ભ્રમણ કરતા તે માસક્ષમણના તપસ્વી મહામુનિને સહદેવી કે જે પોતાના પ્રાસાદના અગ્રભાગ ઉપર રહેલી છે, તેણે જોયા. આ સહદેવી બીજી કોઈ જ નથી, પણ જેણે આ મહામુનિને મુનિ થવામાં અંતરાય કરવાનો પ્રયત્ન કર્યો હતો, એટલે શ્રી કીર્તિધર મહારાજાની એ પત્ની છે, અને સુકોશલ કે જેને પોતાના પિતાએ બાલ્યકાળમાં જ રાજ્યગાદી ઉપર અભિષિક્ત કર્યો છે, તેની માતા છે. પૂર્વાવસ્થાના પોતાના પતિદેવને અને વર્તમાન સમયના એક સમર્થ રાજર્ષિને પણ પોતાના નગરમાં પરિભ્રમણ કરતા જોઈને સંસારના તુચ્છ સ્વાર્થની સાધનામાં સજ્જ બનેલી તે સહદેવી પોતાના હદયમાં ચિંતવવા લાગી કે पत्यौ प्रव्रजितेऽमुष्मिन्, पतिहीना पुराऽभवम् ॥१॥ वत्स सुकोशलोऽप्यद्य, दृष्ट्वैनं प्रव्रजेद्यदि । तदा पुत्रोऽपि मे न स्या-निराि स्यां ततः परम् ॥२॥ તાનિરપરાધોડવ, મર્તા વ્રતથાઈહિ ? - નિર્વાણ્યો નારા સૂનો - રાવશ્યમદ્વિર્ષિયા રૂટ " (Eી III (CIAL
SR No.022829
Book TitleJain Ramayan Part 02
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri, Shreyansprabhsuri
PublisherSmrutimandir Prakashan
Publication Year2011
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy