SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ યોગ્ય આત્માઓનો પણ ઉદ્ધાર થયો નથી, થાય પણ નહિ અને થશે પણ નહિ. આ ઉપરથી તમે એ વાત જરૂર સમજી શક્યા હશો કે, દુર્જનોની દુનિયા અને સજ્જ્ઞોની દુનિયા વચ્ચે આસમાન જમીન જેટલું અંતર હોય છે : એથી સજ્જ્ઞોની મશ્કરી પણ સન્માર્ગે જ ચઢાવનારી હોય પણ ઉન્માર્ગે લઈ જ્વારી ન જ હોય : એજ કારણે દુનિયામાં પણ એક એવી કહેવત પ્રચલિત છે કે ‘જ્ઞાની સે જ્ઞાતી મીલે, કરે તત્ત્વ કી બાત; ગધ્ધેસે ગધ્ધા મિલે, કરે લાતમલાત.' તો પછી શ્રી વજ્રબાહુ અને શ્રી ઉદયસુંદર જેવા પરમ પુણ્યશાળી પુરુષસિંહો વચ્ચેની મશ્કરીમાં પણ આવી ઉત્તમ વાતો થાય એમાં આશ્ચર્ય શું ? કહેવું જ પડશે કે, કશું જ નહિ. વધુમાં સામાન્ય સજ્જ આત્માઓ વચ્ચે થયેલી સારી પણ મશ્કરીની વાત કદાચ નિષ્ફળ પણ જાય, પણ વિશિષ્ટ પ્રકારના સજ્જન પુરુષોની વચમાં મશ્કરીરૂપે થયેલી પણ સારી વાત કદી જ પ્રાય: નિષ્ફળ જતી નથી, એનું કારણ એ જ છે કે તે આત્માઓ પોતાનું સાચું બોલેલું અવશ્ય પાળનારા જ હોય છે, એ જ કારણે પુણ્યશાળી શ્રી વજ્રબાહુએ પોતાના ઉપદેશમાં ‘મનુષ્ય જન્મરૂપ ૨૩ વૃક્ષનું સુંદર ફળ ચારિત્ર છે,' – એમ કહીને: તરત જ એ મહાપુરુષ, પોતાના સાળાને કહ્યું ને સૂચવ્યું કે, “મહાનુભાવ ! સ્વાતિ નક્ષત્રમાં શુક્તિમાં પડેલું, મેઘનું પાણી જેમ મોતીરૂપ થાય છે, તેમ મારા પ્રત્યેની તારી મશ્કરીની વાણી પણ મારા માટે સર્વ પરમાર્થને પમાડનારી થઈ છે, એટલે કે તારી મશ્કરીની ટકોર અને કબૂલાત મારા માટે કલ્યાણકારી શ્રીમતી ભાગવતી દીક્ષાનો સુયોગ કરાવનારી જ નીવડી છે, અર્થાત્ હવે એની વિરૂદ્ધ તારી એક પણ દલીલ કામ આવી શકે તેમ નથી. કારણકે સજ્જ્ઞોની મશ્કરી પણ નિષ્ફળ નથી હોતી પરંતુ સર્વ પ્રકારે સફળ જ હોય છે અને એમાં જ તેઓની સાચી સજ્જનતા છે.” ઉત્તમ કુળનો અનુયમ મહિમ...૧
SR No.022829
Book TitleJain Ramayan Part 02
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri, Shreyansprabhsuri
PublisherSmrutimandir Prakashan
Publication Year2011
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy