SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ 8-cd ""P??? ૩૩૨ .........મ-લક્ષ્મણન ૩. આ જે કારમો બનાવ બની ગયો તેમાં તારા પિતાનો કે ભરતનો દોષ નથી, પણ સ્ત્રીસ્વભાવથી સુલભ એવો આ દોષ આ તારી માતા કૈકેયીનો જ છે. ૪. ખરેખર, હું દોષની ખાણ જ છું. એ જ કારણે એક કુલટાપણાના દોષને છોડીને જેટલા ઘેષો ભિન્ન ભિન્નપણે સ્ત્રીઓમાં રહેલા હોય છે. તે સઘળાં દોષો મારા પોતામાં પણ વાસ કરીને રહેલાં છે. ૫. પતિને, પુત્રોને અને માતાઓને આ અતિશય દુ:ખ ને કરનારું જે કાર્ય છે, તે હે વત્સ ! તું સહન કર, કારણકે તું સમજુ ને ઉઘર છે. શાન્તિ અને સદ્ભાવભર્યો જવાબ નીતરતી આંખે એવું-એવું બોલતાં શ્રીમતી કૈકેયીમાતા પ્રત્યે એક સુપુત્રને છાજતો શાંત અને સદ્ભાવપૂર્વક જવાબ આપતા શ્રી રામચંદ્રજીએ કહ્યું કે, X X X X X X X X X X X X X ? તાતસ્ય સુનુ મ્રૂત્વાä, પ્રતિજ્ઞાત ત્યનાભિ વમ્ શ્ર तातेन दत्तमेतस्मै, राज्यं हानुमतं मया अस्त्वन्यथा कथंकारं, वाग् द्वयोर्जीवतोरपि ॥२॥ ‘હે માતાજી ! હું શ્રી દશરથમહારાજા જેવા પિતાનો પુત્ર થઈને મેં સ્વીકારેલી પ્રતિજ્ઞાને કેમ ત્યજું ? પિતાજીએ આ શ્રી ભરતને રાજ્ય આપ્યું છે અને મેં વનવાસ માંગેલ છે. તો એ વાણી અમારા બેના જીવતાં છતાં અન્યથા કઈ રીતે થાય ? ܐ શ્રી રામચંદ્રજીએ આવા પ્રકારનો જવાબ દઈ પોતાને લેવા માટે આવેલા માતા અને ભાઈને એકદમ મૂક જ બનાવી દીધા. આ જવાબમાં શ્રીરામચંદ્રજીએ સાફ-સાફ સૂચવી દીધું કે, દશરથ રાજાનો દીકરો પોતાની પ્રતિજ્ઞાને તજે એ કલંક છે. અને શ્રી દશરથમહારાજાની અને પુણ્ય પિતાના પુત્ર રામની વાણી એ ઉભયના જીવતાં તો અન્યથા ન જ થાય. પોતાની પ્રતિજ્ઞા અને પોતાની વાણીનો જેને ખ્યાલ હોય એવા આત્માઓ પ્રાણાન્તે પણ પોતે જ સ્વીકારેલું હોય તેને અન્યથા નથી કરી શકતાં. પિતાનું વચન સફળ કરવા માટે વનવાસ સ્વીકારવાનું બોલીને ચાલી નીકળેલા શ્રીરામચંદ્રજી અયોધ્યામાં પાછા ફરીને
SR No.022829
Book TitleJain Ramayan Part 02
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri, Shreyansprabhsuri
PublisherSmrutimandir Prakashan
Publication Year2011
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy