SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમાદો પૈકીના કોઈ એક પ્રમાદને આધીન થઈ જાય છે તે આત્મા છે સ્વપરનું સાધવા યોગ્ય હિત નથી સાધી શકતો. કોઈ પણ આત્માથી હાર પર એવી જે કોઈ પણ વસ્તુને આધીન થવું, તેની વ્યવસ્થા આદિના વિચારો કરવા એ વગેરે સઘળું જ પ્રમાદમાં આવી જાય છે. આત્માથી પર વસ્તુને આધીન બનનારો આત્મા પોતાના મન, વચન કે કાયા ઉપર કાબૂ રાખી શકતો જ નથી. માટે કલ્યાણકાંક્ષી આત્માએ આત્મસ્વરૂપ ખીલવવાનું ધ્યાન રાખી આત્મસ્વરૂપને ખીલવવામાં સાક્ષાપણે સાધનરૂપ થનારી વસ્તુઓ સિવાયની વસ્તુને આધીન ન થઈ જવાય એવી જ દશામાં રહેવું જોઈએ. એ જ દશાનું નામ અંતરાત્મદશા કહેવાય છે. એ દશા આત્માને પરમાત્મા બનાવનારી દશા છે. અને એથી ઉલ્ટી દશા એ આત્માને અધમ બનાવનારી દશા છે. અંતરાત્મ દશાથી ઉલ્ટી દશા પોતાના આત્માની ન થઈ જાય એ વાતનો મુમુક્ષુ આત્માએ હરહંમેશા ખ્યાલ રાખવો જોઈએ. શ્રી રામચંદ્રજીની સલાહ આપણે એ જોઈ ગયા કે શ્રી દશરથમહારાજાનો ઘણો ઘણો આગ્રહ છતાં પણ શ્રી ભરત રાજ્ય લેવાને સંમત ન થયા તે ન જ થયા. શ્રી દશરથ મહારાજાએ ભરતને રાજ્ય લેવાની બાબતમાં છે. જેટલી જેટલી દલીલો કરી તે સઘળી જ દલીલોમાં શ્રીભરત સંમત ન થયા. એટલું જ નહિ પણ એ સઘળી જ દલીલોનો તેમણે સામનો કર્યો. શ્રીભરતને રાજ્યગાદી ઉપર આરૂઢ કરવા માટે અંતે શ્રીદશરથરાજાને એક આજ્ઞાનો જ અમલ કરવો પડ્યો અને એથી એ સંબંધમાં આજ્ઞા કરતાં શ્રી દશરથમહારાજાએ સ્પષ્ટ શબ્દમાં ? એમ જ ફરમાવ્યું કે હે પુત્ર ! તું મારી પ્રતિજ્ઞાને નિષ્ફળ ન કર, કારણકે મેં તારી માતાને એક વરદાન આપેલ અને તે તેના કહેવાથી મેં મારી પાસે રાખી મૂકેલ, તે આજે તારી માતાએ તને રાજ્ય આપવારૂપે માંગેલ છે અને મેં તે આપેલ છે. મારી અને તારી માતાની આજ્ઞાને અન્યથા આદર્શ પરિવારને આદર્શ વાત...૧૧
SR No.022829
Book TitleJain Ramayan Part 02
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri, Shreyansprabhsuri
PublisherSmrutimandir Prakashan
Publication Year2011
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy