SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ સીતા... ભાગ-૨ ..........મ-લક્ષ્મણને લાગ્યું કે શ્રી નારદજી કહેતા હતા તેવું જ શ્રીમતી સીતાનું રૂપ છે. શ્રી નારદજીના કહેવા પ્રમાણેનું જ શ્રીમતી સીતાનું રૂપ જોવાથી શ્રી ભામંડલકુમારને જીવલેણ શ્રી કામદેવ જાગૃત થયો. સ્વયંવર મંડપમાં આવીને ઉભેલી શ્રીમતી સીતા, સૌના અંત:કરણને આકર્ષી રહી છે. શ્રીમતી સીતાને વરવા માટે આતુર બની રહેલા ખેચર અને ભૂચર રાજાઓને ઉદ્દેશીને શ્રી જનક મહારાજાના દ્વારપાલે કહ્યું કે “હે સઘળાંય ખેચર, અને ભૂમિચર રાજાઓ ! આપ દરેકને શ્રી જનકમહારાજા એમ ફરમાવે છે કે આ બે ધનુષ્ય દંડોમાંથી એક પણ ધનુષ્યને જે કોઈ આરોહણ કરે તે આજે જ અમારી પુત્રી શ્રી સીતાને પરણો.” શ્રી જનકમહારાજના દ્વારપાલ દ્વારા કન્યાને પરણવાની શરત સાંભળીને પરાક્રમી ખેચરો અને ભૂચરો પણ ધનુષ્યને ચઢાવવાની કામનાથી ધનુષ્યની પાસે આવ્યા. પણ ભયંકર સર્પોથી વીંટળાયેલા અને તીવ્ર તેજસ્વી એવા તે ધનુષ્યોને સ્પર્શ કરવાને પણ કોઈ સમર્થ થઈ શક્યા નહીં. જ્યાં સ્પર્શ કરવાની પણ શક્તિ ન હોય ત્યાં ગ્રહણ કરવાની તો વાત જ શી ? ધનુષ્યમાંથી નીકળતા તણખાંઓની જ્વાળાથી દગ્ધ થયેલા અને લજ્જાથી અધોમુખ બની ગયેલા તે રાજાઓ પાછા ફરીને અન્ય બાજુએ ચાલ્યા ગયા. જ્યારે આ રીતે નીચા મુખે પરાક્રમી વિદ્યાધરેન્દ્રો અને નરેંન્દ્રો પાછા ફર્યા ત્યારે ચલાયમાન, કંચનના કુંડલવાળા અને ગજેંદ્રની જેમ લીલાપૂર્વક ગમન કરતા શ્રી દશરથ મહારાજાના પુત્ર શ્રી (0 રામચંદ્રજી ધનુષ્યની પાસે આવ્યા. આવી રીતે ધનુષ્યની પાસે આવીને ઉભેલા શ્રી રામચંદ્રજીને ચંદ્રગતિ આદિ રાજાઓએ ઉપહાસપૂર્વક જોયા અને શ્રી જનકમહારાજાએ શંકાની દૃષ્ટિએ જોયા છતાં પણ નિ:શંક એવા શ્રી રામચંદ્રજીએ, જેની ઉપર સર્પો
SR No.022829
Book TitleJain Ramayan Part 02
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri, Shreyansprabhsuri
PublisherSmrutimandir Prakashan
Publication Year2011
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy