SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ મને દેવો પણ જીતી શકે તેમ નથી. અને અસુરો પણ જીતી શકે તેમ છે નથી. આવા પ્રકારની ખાત્રી થવાથી ભયભીત મટીને શ્રી દશરથ થી છે મહારાજા હવે સંપૂર્ણ નિર્ભય બન્યા, અને જે ભયથી અયોધ્યા કે જે પોતાની મૂળ રાજધાની છે ત્યાં નહોતા જતા તે હવે પોતાના કુમારોના પરાક્રમથી તે ભય ચાલ્યો જવાથી ધીરતાનું અવલંબન કરીને શ્રી દશરથ મહારાજા ઇક્વાકુઓની રાજધાનીરૂપ અયોધ્યામાં પધાર્યા. અને મેઘો વિખરાઈ ગયા પછી પ્રતાપથી દીપતો સૂર્ય જેમ તપે, તેમ દુર્દશાનો નાશ થયા પછી પ્રતાપથી દીપતા શ્રી દશરથ મહારાજા પણ પૃથ્વી ઉપર અનુશાસન કરવા લાગ્યા. ભરત અને શત્રુઘ્નનો જન્મ અયોધ્યામાં રાજધાનીને કરતા દશરથ મહારાજાની ધર્મપત્ની શ્રી કૈકેયીએ એક દિવસે શુભ સ્વપ્નોથી સૂચિત થયેલા અને શ્રી ભરતના ભૂષણ સમા શ્રી ભરત નામના પુત્રને જન્મ આપ્યો અને શ્રી સુપ્રભા નામની ધર્મપત્નીએ પણ શત્રુઓને હણનારું છે ભુજાઓનું પરાક્રમ જેનું. અને કુલને આનંદ આપનાર, શ્રી શત્રુધ્ધ નામના પુત્રને જન્મ આપ્યો. અર્થાત્ શ્રી દશરથ મહારાજાને બીજા પણ બે પુત્ર થયા. ૯ તેમાંના એક શ્રી કૈકેયી નામની રાણીથી અને બીજો સુપ્રભા નામની રાણીથી. કૈકેયી નામની રાણીથી ઉત્પન્ન થયેલા ભરત ભૂષણરૂપ પુત્રનું નામ ભરત પાડ્યું અને સુપ્રભા નામની રાણીથી ઉત્પન્ન થયેલા પુત્રનું નામ શત્રુધ્ધ રાખ્યું. અને એ બંને બાળકો પણ જાણે બીજા બળદેવ અને વાસુદેવ જ ન હોય એવા દીપવા લાગ્યા. અર્થાત્ એ બંને બાળકો લોકોને બળદેવ અને વાસુદેવની ભ્રાંતિ કરાવતા, જેમ સ્નેહના પ્રતાપે બળદેવ અને વાસુદેવ એકબીજાથી અલગ નહોતા રહેતા તેમ ભરત અને શત્રુઘ્ન પણ સ્નેહથી રાત્રિ અને દિવસ સાથે જ રહેતા અને, આનંદ અને કન અવસરો તે સંસાર...૮
SR No.022829
Book TitleJain Ramayan Part 02
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri, Shreyansprabhsuri
PublisherSmrutimandir Prakashan
Publication Year2011
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy