SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમહાવિદેહ ક્ષેત્રમાં રહેલા પરમ વીતરાગ શ્રી સીમંધરસ્વામી નામના તીર્થપતિની સ્તવના કરતાં ગુજરાતી ભાષામાં આ ગાથા 39 ગાયેલી ’લોકસન્ના થકી લોક બહુ બાઉલો, રાઉલો દાસ તે સવિ ઉવેખે, એક તુજ આણસું જેહ રાતા રહે, તેહને એહ નિજ મિત્ર દેખે.” (સાડા ત્રણસો ગાથાનું સ્તવન કાળ ૧૭ : ગા.પ.) જે કલ્યાણમિત્રનો યોગ સાધવાના અર્થી આત્માઓએ પોતાના હૃદયપટ ઉપર કોતરી રાખવા જેવી છે. આ ગાથાનો હૃદયપૂર્વક અભ્યાસ કરવામાં આવે અને એમાં કહ્યા મુજબ લોકસંજ્ઞાનો ત્યાગ કરવાપૂર્વક શ્રી વીતરાગ પરમાત્માની આજ્ઞામાં જ રક્ત રહેતા આત્માઓની સાથે જ મિત્રતાનો આદર કરવામાં આવે તો જરૂર જીવનમાં કોઈ અજબ પલટો થાય. એ અજબ પલટાના પ્રતાપે જે મિત્રતાનો ઉપયોગ સંસારની સાધનામાં થાય છે તે અટકી જશે અને શ્રી અનરણ્ય રાજા અને શ્રી સહસ્ત્રકિરણ રાજાએ કર્યો તેવો મોક્ષસાધક સદુપયોગ થશે. આ ઉપરથી તમે સમજી શકશો કે સુંદર આત્માઓના પરસ્પર સંકેત પણ સુંદર જ હોવા જોઈએ. શ્રી અનરણ્ય મહારાજાની પુત્ર સાથે દીક્ષા સુંદર સંકેતના પરિણામે પોતાના મિત્ર શ્રી સહસ્ત્રકિરણ રાજાએ શ્રી રાવણ સાથેના યુદ્ધમાં પરાજય પામવાથી વૈરાગ્ય પામીને દીક્ષા ગ્રહણ કરી એવા સમાચારથી શ્રી અનરણ્ય મહારાજા કેવી રીતે દીક્ષા ગ્રહણ કરવા તૈયાર થાય છે અને કેવી રીતે દીક્ષાનો સ્વીકાર કરે છે એ વસ્તુ બરાબર જાણવા જેવી છે. જો કે એ વસ્તુ આપણે આ જ રામાયણના બીજા સર્ગમાં જોઈ આવ્યા છીએ છતાં પણ આ સ્થળે એનું કાંઈક સ્મરણ કરાવવાની ખાસ જરૂર છે એકની એક પુણ્યકથા વારંવાર કરવામાં આવે એથી હાનિ નથી પણ એકાંતે લાભ જ છે. એ જ કારણે પૂર્વધર શ્રી ઉમાસ્વાતિજી વાચક, શ્રી પ્રશમરતિ પ્રકરણમાં માવે છે કે શ્રાવકના ૧૩૭ મનનીય મનોરથ...s
SR No.022829
Book TitleJain Ramayan Part 02
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri, Shreyansprabhsuri
PublisherSmrutimandir Prakashan
Publication Year2011
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy