SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ I[LI[LL આચરતાં અટકી જવું જોઈએ, અન્યથા એ અનીતિ આદિના પ્રતાપે જ છે પ્રાપ્ત થયેલા પુણ્યોદયને કારમી રીતે વેડફી નાંખી એવા પાયમાલ હતી બની જશો કે આ ભવના બગાડા સાથે અનેક ભવોનો બગાડો થઈ છે જશે. પુગ્યોદયના પ્રતાપે ઈષ્ટ વસ્તુઓને પામેલાઓની ઈર્ષ્યા કરવી એ પણ એક જાતની મૂર્ખતા જ છે. ઈષ્ટ વસ્તુઓની પ્રાપ્તિના અર્થીએ પણ અન્યની ઈર્ષ્યા, કોઈનું પડાવી લેવાની પ્રવૃત્તિ અને અનીતિ આદિ પાપાચરણોનું સેવન નહિ કરતાં જેની સેવાથી પાપ ટળે તેની સેવા કરવી જોઈએ, પણ શરત એટલી કે એવી ઉત્તમ વસ્તુની સેવા કરતાં પૌદ્ગલિક વસ્તુઓની લાલસા રાખવી જોઈએ નહિ. એવી કોઈ પણ જાતની આશંસા વિના જો આત્મહિત સાધક પ્રવૃત્તિ કરવામાં આવે તો એના પ્રતાપે મુક્તિસુખની પ્રાપ્તિ નિશ્ચિત થાય છે અને પૌદ્ગલિક સુખ વિના પરિશ્રમ પ્રાપ્ત થાય છે. સુંદર પુણ્યોદયના પ્રતાપે સોદાસ અરણ્યમાં આથડતા મટી ગયા અને મહાપુર નામના નગરના મહારાજા બન્યા. મહારાજા બન્યા પછી તેમણે પોતાના પુત્ર સિંહરથ કે જેને મંત્રીઓએ પોતાને પદભ્રષ્ટ કર્યા પછી પોતાની ગાદી ઉપર સ્થાપન કર્યો હતો તેની પાસે પોતાનો એક દૂત મોકલ્યો તે દૂતે જઈને સિંહરથ રાજાને કહાં કે સોઢાસ0 શુષ્પમ્િ ? સોદસ મહારાજાની આજ્ઞાનો આપ સ્વીકાર કરો. યુદ્ધમાં વિજય અને પરિણામે દીક્ષા ગ્રહણ સોઘસની આજ્ઞા માનવાનું કહેનાર દૂતનો સિંહરથ રાજાએ ખૂબ તિરસ્કાર કર્યો અને કાઢી મૂક્યો. સિંહરથ રાજાએ પોતાની કેવી હલત કરી, એ વાત દૂતે સોદાસ મહારાજા સમક્ષ યથાસ્થિત રૂપે કહી. પરિણામે સોદાસ મહારાજા સિંહરથ રાજાની સામે અને સિંહરથ સોદાસ મહારાજાની સામે યુદ્ધ કરવાને ગયા અને બંને રાજાઓ પરસ્પર યુદ્ધ કરવા લાગ્યા. યુદ્ધ કરતાં સોદાસ મહારાજાએ રે રસના ૧૨પ તા૨ થળે...૫
SR No.022829
Book TitleJain Ramayan Part 02
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri, Shreyansprabhsuri
PublisherSmrutimandir Prakashan
Publication Year2011
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy